ખુબ ચર્ચીત નિત્યાનંદ આશ્રમ કેસ વિવાદ મુદ્દે કોર્ટે બંને સાધ્વીઓના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે બંને સાધ્વીઓની કડક પુછપરછ માટે 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે 27 તારીખના બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે પોતાની દલીલમાં જણાવ્યું કે આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તપાસમાં સહકાર નથી. જેના લીધે તપાસમાં વિગતો મળી રહે તે માટે વધુ રિમાન્ડની જરૂર છે. તો બચાવ પક્ષના વકીલે જણાવ્યું કે બંને સાધ્વીઓ વિરૂદ્ધ ક્યારે કોઈ ગુનો નથી નોંધાયો તો પછી તેઓ રિઢા ગુનેગાર કેવી રીતે કહી શકાય ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : UBER કંપની મુશ્કેલીમાં: લંડનમાં લાઈસન્સ રિન્યુ ના થવાથી બંધ થઈ શકે છે સેવા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:06 pm, Mon, 25 November 19