ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ ગુરુવારથી જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી લોકસંપર્ક કરશે

|

Sep 29, 2021 | 12:57 PM

ગુજરાત નવ નિયુક્ત મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાને બે ભાગમાં વિભાજીત કરવામાં આવી છે. જે 30 સપ્ટેમ્બર થી 03 ઓકટોબર અને 07 ઓકટોબરથી 10 ઓકટોબર સુધી યોજાશે.

ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ ગુરુવારથી જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી લોકસંપર્ક કરશે
Newly appointed ministers of Gujarat to reach out to people through Jan Ashirwad Yatra from Thursday (File Image)

Follow us on

ગુજરાતના(Gujarat)  સીએમ ભૂપેન્દ્ર પટેલનું( CM Bhupendra Patel)  નવું મંત્રીમંડળ( Cabinet) ગુરુવારથી પોતાના અને અન્ય જિલ્લાનો પ્રવાસ ખેડશે. જેની માટે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે . નવા મંત્રીઓ જે તે જિલ્લાના પ્રભારી બનાવ્યા બાદ હવે તેવો વિસ્તારમાં જઇને લોકો સાથે સંપર્ક કેળવશે.

તેમજ આ જન આશીર્વાદ યાત્રાને બે ભાગમાં વિભાજીત કરવામાં આવી છે. જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બર થી 03 ઓકટોબર અને 07 ઓકટોબરથી 10 ઓકટોબર સુધી યોજાશે.

આ નવનિયુક્ત મંત્રીઓના પ્રવાસનો વિગતવાર કાર્યક્રમ આ મુજબ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

1. મહેસુલમંત્રી રાજેન્દ્ ત્રિવેદી 30 સપ્ટેબરે ખેડા, 1 ઓક્ટોબરે વડોદરા જીલ્લો અને 2 ઓક્ટોબરે વડોદરા શહેર(રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા) કરશે પ્રવાસ….

2. શિક્ષણમંત્રી જીતેન્દ્ર વાઘાણી 3 ઓક્ટોબરે ભાવનગર પશ્ચિમ, 07 ઓક્ટોબરે રાજકોટ જીલ્લો અને 8 ઓક્ટોબરે રાજકોટ શહેર

3. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 3 ઓક્ટોબર વિસનગર,7 ઓક્ટોબરે ગાંધીનગર જીલ્લો અને 8 ઓક્ટોબરે અમદાવાદ જીલ્લો

4. માર્ગ અને મકાન મંત્રી પુર્ણશ મોદી 3 ઓક્ટોબરે સુરત પશ્ચિમ,7 ઓક્ટોબરે ભરુચ અને 8 ઓક્ટોબરે નર્મદા  જિલ્લો

5. કૃષિમંત્રી રાઘવજી પટેલ 3 ઓક્ટોબરે જામનગર ગ્રામ્ય, 7 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા અને 8 ઓક્ટોબરે જુનાગઢ શહેર

6. આરોગ્યમંત્રી કનુ દેસાઇ 7ઓક્ટોબરે નવસારી,8 ઓક્ટોબરે સુરત શહેર અને 9 ઓક્ટોબરે પારડી

7. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા 3 ઓક્ટોબરે લીમડી, 7 ઓક્ટોબરે જામનગર જીલ્લો અને 8 ઓક્ટોબરે જામનગર શહેર

8. પુરવઠા મંત્રી નરેશ પટેલ 3 ઓક્ટોબરે સુરત જીલ્લો, 1 ઓક્ટોબરે વલસાડ જિલ્લાનો અને 2 ઓક્ટોબરે નવસારી જિલ્લો

9. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર 7 ઓક્ટોબરે બનાસકાંઠા,8 ઓક્ટોબરે કચ્છ અને 10 ઓક્ટોબરે અસારવા

10. ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ 3 ઓક્ટોબરે મહેમદાબાદ,7 ઓક્ટોબરે આણંદ અને 8 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાનો પ્રવાસ

11. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી 03 ઓક્ટોબરે મજુરા, 07 ઓક્ટોબરે વડોદરા શહેર (અકોટા વિધાનસભા), અને 8 ઓક્ટોબરે અમદાવાદ શહેરનો  પ્રવાસ

12. રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ 7 ઓક્ટોબરે ખેડા, 8 ઓક્ટોબરે ગાંધીનગર અને 9 ઓક્ટોબરે નિકોલ વિધાનસભા વિસ્તાર

13. રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા 3 ઓક્ટોબરે મોરબી, 7 ઓક્ટોબરે પોરબંદર અને 8 ઓક્ટોબરે સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રવાસ.

14. રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી 30 સપ્ટેબરે તાપી,1ઓક્ટોબરે સુરત જીલ્લો અને 2 ઓક્ટોબરે ડાંગ 3 ઓક્ટોબરે કપરાડાનો કરશે પ્રવાસ…

15. રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ 30 સપ્ટેમ્બરે મહીસાગર, 1 ઓક્ટોબરે આણંદ, 2 ઓક્ટોબરે વડોદરા શહેર (વાડી શહેર અને માંજલપુર)  પ્રવાસ

16. રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ 3 ઓક્ટોબરે ઓલપાડ, 7 ઓક્ટોબરે વલસાડ અને 8 ઓક્ટોબરે નવસારી જિલ્લાનો  પ્રવાસ

17. રાજ્યકક્ષાના મંત્રી નીમીશાબેન સુથાર 30 સપ્ટેબરે છોટા-ઉદેપુર, 1 ઓક્ટોબરે પંચમહાલ, 2 ઓક્ટોબરે મોરવા હડફનો  પ્રવાસ..

18. રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી 3 ઓક્ટોબરે રાજકોટ પૂર્વ, 7 ઓક્ટોબરે મોરબી અને 8 ઓક્ટોબરે બોટાદજિલ્લાનો કરશે પ્રવાસ…

19. રાજ્યકક્ષાના મંત્રી ડૉ.કુબેર ડિંડોર 30 સપ્ટેમ્બરે અરવલ્લી, 1 ઓક્ટોબરે દાહોદ અને 2 ઓક્ટોબરે સંતરામપૂર ખાતે  પ્રવાસ

20. રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા 30 સપ્ટેબરે સાબરકાંઠા,1 ઓક્ટોબરે મહેસાણા અને 2 ઓક્ટોબરે કાંકરેજ જિલ્લાનો પ્રવાસ

21. રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર 30 સપ્ટેબરે પાટણ,1   ઓકટોબરે  બનાસકાંઠા અને 2 લ ઓક્ટોબરે પ્રાંતિજ જિલ્લાનો  પ્રવાસ

આ પણ વાંચો : ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ, અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા

આ પણ વાંચો : Nansari ના ગણદેવીમાં દેવધા ડેમ પાસે યુવકને સ્ટંટ ભારે પડ્યો, જુઓ વિડીયો

Published On - 12:52 pm, Wed, 29 September 21

Next Article