બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની સરકાર સાથે બેઠક પૂર્ણ થયા બાદ સરકારે આગામી સમયમાં તેમનાં પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંહેધરી આપી છે. આ બેઠકમાં જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું પ્રતિનિધિત્વ મંડળનાં સભ્યો હાજર રહ્યા હતા. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, MLA શશીકાંત પંડ્યા, કીર્તિસિંહ વાઘેલાની આગેવાનીમાં બેઠક સફળ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે […]
બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની સરકાર સાથે બેઠક પૂર્ણ થયા બાદ સરકારે આગામી સમયમાં તેમનાં પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંહેધરી આપી છે. આ બેઠકમાં જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું પ્રતિનિધિત્વ મંડળનાં સભ્યો હાજર રહ્યા હતા. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, MLA શશીકાંત પંડ્યા, કીર્તિસિંહ વાઘેલાની આગેવાનીમાં બેઠક સફળ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે ગૌ શાળા સંચાલકોએ સરકાર ડિસેમ્બર સુધી નિભાવ ખર્ચ આપે તેવી માગ કરી હતી અને તેના પર મોટાભાગે સહમતિ સધાઈ હોવાનું સામે આવ્યું છે.