કુદરતી આપત્તિએ અણધાર્યો કુદરતનો આવેલો પ્રકોપ છે. એક તરફ ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે ત્યારે બીજી તરફ નવસારી(Navsari) જિલ્લાના 52 કિલોમીટરના દરિયાકિનારા પર ભરતીની આગાહી સાથે કાંઠાના રહીશો ચિંતાતુર બને છે. દરિયા કિનારાના સંરક્ષણ માટે 90 કરોડ રૂપિયા જેટલી મોટી રકમનો ખર્ચ કરી સંરક્ષણ દીવાલ બનાવવામાં આવી છે પરંતુ તેમ છતાં જિલ્લાના દરિયા કિનારે વસેલા 7 ગામો અસ્તિત્વને ટકાવવા મથામણ કરવી પડી રહી છે.નવસારી જીલ્લામાં વરસાદની આગાહીને પગલે જીલ્લામાં દરિયા કિનારે વસતા ગ્રામ્ય જનોના વિસ્તારના અસ્તિત્વને ટકાવવા જહેમત કરી રહ્યા છે.
દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રોટેક્શન વોલના અભાવે કાઠા વિસ્તારોમાં ધોવાણને લઇ સ્થાનિકો ચિંતામાં મુકાયા છે.નવસારી જીલ્લાનો 52 કિલોમીટરનો દરિયા કિનારો જે કિનારે વસતા લોકોનું અસ્તિત્વ પ્રોટેક્શન વોલના સહારે દરિયા કિનારે ટકી રહેતું હોય છે. ચોમાસુ બેસી ગયું છે અને વરસાદ સમયે દરિયો પ્રોટેક્શન વોલના અભાવે ગામડાઓના કાંઠા વિસ્તારનું ધોવાણ થતું હોય છે. જીલ્લામાં ૭ જેટલા ગામો દરિયા કિનારે વસેલા છે. મેંધર, ભાટ, ઓંજલ, માછીવાડ, દાંડી, બોરસી, ઉભરાટ, દિપલા આ ગામોના લોકો ભારે વરસાદ અને ભારતીના સમયે સ્થળાંતર કરવા મજબુર બને છે. નવસારીના બોરસી અને દીપલા ગામમાં પણ કઈક આ જ પ્રકારની સ્થતિ સર્જાય છે. ગામના લોકોની હાલમાં પ્રોટેક્શન વોલના અભાવે રાત્રીની ઊંઘ હરામ થઇ હોય તેવી સ્થિતિનું નિર્માણ થાયછે. ધોવાણ અટકે તે માટે વહેલી તકે સરકાર કોઈ પગલા લેઈ તેવી માંગ કરી રહ્યા છે.
દરિયાઈ પાણી મોટી ભરતી સમયે દર વર્ષે મોજા 20 ફૂટ ઉચા ઉછળી ગામમાં ઘુસતા લોકોના જીવ અધ્ધર કરી દે છે. કેટલીક વાર તો પરિસ્થતિ એવી થાય છે કે ગામમાં પાણી આવવાને કારણે કેટલાય દિવસોથી લોકો પાણીમાંથી અવર – જ્વર મજબુર બની જાય છે. ગ્રામ જનોએ સ્થાનિક પ્રતિનિધિઓને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ હાલ સુધી નહી આવતા લોકો ભારતીના સમયે મુશ્કેલીનો સામનો કરવા મજબુર બની રહ્યા છે. વહેલી તકે પ્રોટેક્શન વોલ બનાવી આપવા ગ્રામ જનો માંગ કરી રહ્યા છે.
જીલ્લામાં માછીવાડ ખાતે કરોડોનો ખર્ચો કરી જે સૌરક્ષણ દીવાલ બનાવી છે. તેવી દીવાલો અન્ય દરિયા કિનારે સરકાર બનાવે તેવી માંગ ઉઠી છે. સમસ્યાના હલની રાહમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.