AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી જિલ્લા માટે જીવાદોરી ગણાતા જુજ અને કેલીયા ડેમ ઓવરફ્લો,વાંસદા તાલુકાના 40થી વધુ ગામના ખેડુતોને પીવાનું અને સિંચાઈનુ પાણી મળી રહેશે

છેલ્લા ત્રણ સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર જિલ્લામા મેધમહેર વ્યાપી છે ત્યારે નવસારી જિલ્લાના ડુંગરાળ પ્રદેશ ગણાતા વાંસદાના ખેડુતોની જીવાદોરી સમાન જુજ અને કેલીયા ડેમ ઓવર ફ્લો થતા ખેડુતોમા ખુશીની લહેર વ્યાપી છે ડુગરાળ પ્રદેશ ગણાતા વાંસદા તાલુકાના 40 થી વધુ ગામના ખેડુતોને પીવાનુ પાણી તથા સિંચાઈનુ પાણી મળી રહેશે પર્વતીય વિસ્તાર ગણાતા વાંસદા […]

નવસારી જિલ્લા માટે જીવાદોરી ગણાતા જુજ અને કેલીયા ડેમ ઓવરફ્લો,વાંસદા તાલુકાના 40થી વધુ ગામના ખેડુતોને પીવાનું અને સિંચાઈનુ પાણી મળી રહેશે
https://tv9gujarati.in/navsari-jilla-ma…paani-madi-reshe/
Nilesh Gamit
| Edited By: | Updated on: Aug 29, 2020 | 10:20 AM
Share

છેલ્લા ત્રણ સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર જિલ્લામા મેધમહેર વ્યાપી છે ત્યારે નવસારી જિલ્લાના ડુંગરાળ પ્રદેશ ગણાતા વાંસદાના ખેડુતોની જીવાદોરી સમાન જુજ અને કેલીયા ડેમ ઓવર ફ્લો થતા ખેડુતોમા ખુશીની લહેર વ્યાપી છે ડુગરાળ પ્રદેશ ગણાતા વાંસદા તાલુકાના 40 થી વધુ ગામના ખેડુતોને પીવાનુ પાણી તથા સિંચાઈનુ પાણી મળી રહેશે પર્વતીય વિસ્તાર ગણાતા વાંસદા તાલુકામા દર વર્ષે ઊનાળા દરમ્યાન પીવાના પાણીની સમસ્યા વધી જતી હોય છે અને ખેતી તથા પશુપાલન માટે ખેડુતોએ  વલખા મારવા પડતા હોય છે.

ડાંગ જિલ્લાનો કેચમેન્ટ એરીયા ધરાવતો જુજ ડેમ 167.50 મીટરે ઓવરફ્લો સપાટી ધરાવે છે અને વાંસદા તાલુકાનો કેચમેન્ટ એરીયા ધરાવતો કેલીયા ડેમ 113.50 મીટરે ઓવર ફ્લો થયો છે વાંસદા સિંચાઈ વિભાગ દ્વારા  શિયાળા સુધી ખેતી  માટે પાણી આપવામા આવે છે જ્યારે ઊનાળા દરમ્યાન માત્ર પીવાનુ પાણી આપવામા આવે છે ચીખલી,ખેરગામ અને વાંસદા તાલુકાઓ માટે મહત્વના ગણાતા જુજ અને કેલીયા ડેમ ઓવરફ્લો થતા ખેડુતોમા ખુશીની લહેર વ્યાપી છે.

જિલ્લામા સાર્વત્રિક 80 ઈંચ જેટલો વરસાદ પડે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદ ધટતા ખેડુતો માટે ચિંતાનો વિષય બન્યો છે ચાલુ વર્ષે 60 ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે સાથે હજુ 100 ટકા વરસાદ વરસવાનો બાકી છે તેવા સમયે ડેમો ઓવરફ્લો થતા ખેડુતોમામા આનંદની લાગણી છવાયી છે જુજ ડેમના કારણે અંદાજે 500 હેકટરમા ખેતી થાય છે અને 6 જેટલા ગામોને પીવાનુ પાણી મળી રહે છે સાથે કેલીયા ડેમના કારણે 800 હેકટરમા સિંચાઈનુ પાણી મળી રહે છે અને 14 ગામોને પીવાનુ પાણી મળી રહે છે.

વાંસદા,ખેરગામ અને ચીખલી તાલુકાઓમા ડુંગરાળ પ્રદેશના કારણે ઊનાળા દરમ્યાન બોરીંગના પાણી તળીયે જતા રહે છે સાથે ચોમાસા આધારિત ખેતી જ કરવા ખેડુતો  મજબુર બને છે જુજ અને કેલીયા ડેમના કારણે ખેડુતોને શિયાળુ પાક લેવામા પણ મદદરુપ થાય છે હાલ બંને ડેમો ઓવરફ્લો થતા ખેડુતો માટે શિયાળુ પાક લેવામા મદદરુપ થશે અને પાણીના તળ ઊંચા આવતા ખેડુતોના બોરીંગ પણ રિચાર્જ થશે

Follow Us
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
g clip-path="url(#clip0_868_265)">