Gujarati NewsGujaratNavratri saathe jodayela vyavsaykaro bhajap kaaryalay kamlam par pahochya rajya sarkar navratri nu aayojan kare te maate bhajap ma rjuaat
નવરાત્રી સાથે જોડાયેલા વ્યવસાયકારો ભાજપ કાર્યાલય કમલમ્ પર પહોંચ્યા,રાજ્ય સરકાર નવરાત્રિનું આયોજન કરે તે મુદ્દે ભાજપ સંગઠનમાં રજૂઆત,ઇવેન્ટ આયોજકો છેલ્લા કેટલાય સમયથી છે બેરોજગાર
કોરોનાનાં કારણે અનેક ધંધા રોજગાર પર અસર પડી છે અને ખાસ કરીને ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો તો બિલકુલ બેરોજગાર જેવી સ્થિતિમાં આવી ગયા છે ત્યારે આગામી સમયમાં આવી રેહલા નવરાત્રી તહેવાર સાથે જોડાયેલા વ્યવસાયકારો ભાજપ કાર્યાલય કમલમ્ પર પહોંચ્યા હતા. સંગીતકારો, લાઇટ ડેકોરેશનવાળા અને આયોજકો કમલમ્ પહોચીને રાજ્ય સરકાર નવરાત્રિનું આયોજન કરે તે મુદ્દે […]
કોરોનાનાં કારણે અનેક ધંધા રોજગાર પર અસર પડી છે અને ખાસ કરીને ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો તો બિલકુલ બેરોજગાર જેવી સ્થિતિમાં આવી ગયા છે ત્યારે આગામી સમયમાં આવી રેહલા નવરાત્રી તહેવાર સાથે જોડાયેલા વ્યવસાયકારો ભાજપ કાર્યાલય કમલમ્ પર પહોંચ્યા હતા. સંગીતકારો, લાઇટ ડેકોરેશનવાળા અને આયોજકો કમલમ્ પહોચીને રાજ્ય સરકાર નવરાત્રિનું આયોજન કરે તે મુદ્દે ભાજપ સંગઠનમાં રજૂઆત કરી હતી. સાથે જ અંબાજી મંદિર ખોલવા માટે પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરી હતી. ગરબા યોજાય તે મુદ્દે વિંનંતી પત્ર પાઠવીને સરકાર ગરબા માટે ગાઈડલાઈન સાથે મંજૂરી આપે તેવી આશા ઇવેન્ટ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી કેમકે તેઓ છેલ્લા કેટલાય સમયથી બેરોજગાર જેવી જીંદગી જીવી રહ્યા છે.