Gujarati NewsGujaratNavasari atanki humla ma mariya gayela machimar na parijano ne madi sahay
નવસારીના 3 માછીમાર પરિવારને 12 વર્ષ બાદ મળી આર્થિક સહાય, 26/11 હુમલાના આતંકીઓએ કુબેર બોટના 3 માછીમારોની કરી હતી હત્યા
નવસારીના ત્રણ પીડિત માછીમાર પરિવારને 12 વર્ષ બાદ આર્થિક સહાય મળી છે. 26/11 આતંકી હુમલા વખતે આતંકીઓ જે કુબેર બોટમાં આવ્યા હતા. તે બોટમાં માછીમાર બળવંત ટંડેળ, નટુ રાઠોડ અને મુકેશ રાઠોડ સવાર હતા. જોકે અજમલ કસાબ સહિતના આતંકીઓએ તેમની હત્યા કરી બોટ આંચકી લીધી હતી.નવસારી જિલ્લાના વાસી બોરસી ખાતે રહેતો પીડિત પરિવાર છેલ્લા 12-12 […]
Follow us on
નવસારીના ત્રણ પીડિત માછીમાર પરિવારને 12 વર્ષ બાદ આર્થિક સહાય મળી છે. 26/11 આતંકી હુમલા વખતે આતંકીઓ જે કુબેર બોટમાં આવ્યા હતા. તે બોટમાં માછીમાર બળવંત ટંડેળ, નટુ રાઠોડ અને મુકેશ રાઠોડ સવાર હતા. જોકે અજમલ કસાબ સહિતના આતંકીઓએ તેમની હત્યા કરી બોટ આંચકી લીધી હતી.નવસારી જિલ્લાના વાસી બોરસી ખાતે રહેતો પીડિત પરિવાર છેલ્લા 12-12 વર્ષથી સહાય માટે માંગ કરતો હતો. જોકે તાત્કાલિક સહાય ન મળતા સામાજીક સંગઠનોએ સરકાર સુધી પીડિત પરિવારનો અવાજ પહોંચાડ્યો હતો. હાલ સરકારે રૂપિયા 5 લાખની સહાય ત્રણેય પરિવારને F.D સ્વરૂપે કરી છે. આર્થિક સહાયની આશા ગુમાવી ચુકેલા પીડિત પરિવારે સહાય મળતા જ સરકાર અને સામાજીક સંગઠનનો આભર વ્યક્ત કર્યો છે.