ઉપરવાસમાંથી 5 લાખ ક્યૂસેક પાણીની આવક થતાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી આજે 131.25 મીટર પહોંચી છે. જેને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમમાંથી હાલ 3.65 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે જેને વધારીને 8 લાખ ક્યૂસેક પણ છોડવામાં આવી શકે છે. નર્મદા નિગમે લેટર બહાર પાડીને આ જાહેરાત કરી છે.
સિઝનમાં પહેલીવાર નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થઇ રહી છે. નર્મદા નદીમાં પાણીની આવકને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ડેમની જળસપાટી વધતા રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન શરૂ કરાયા બાદ સિઝનમાં પહેલીવાર શુક્રવારે ડેમના 10 દરવાજાને 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ રાત્રે 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને આજે સવારે 23 દરવાજા ખોલીને 3.65 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 10:07 am, Sat, 29 August 20