Gujarati NewsGujaratNarmadaGujarat Assembly Election 2022, Read here what is the math behind all the parties trying to woo the tribals
Gujarat Assembly Election 2022: આદિવાસીઓને રિઝવવાની તમામ પક્ષોની મથામણ પાછળનું ગણિત શું છે, વાંચો અહીં
આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નર્મદા જિલ્લામાંથી ભાજપની વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના લોન્ચ કરી હતી.
CR Patil
Follow us on
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરવા લાગી ગયા છે. આ બધામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તમામ રાજકીય પક્ષો આદિવાસી મતદારોને રીઝવવાની મથામણ અત્યારથી જ શરૂ કરી દીધી છે. એપ્રિલ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં રેલી કરી હતી ત્યાર બાદ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરિવાલે નર્મદા જિલ્લામાં રેલી સંબોધી હતી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દાહોદમાં સભા સંબોધી આદીવાસીઓને કોંગ્રેસ તરફ વાળવાની કોશિશ કરી હતી. આ જ પરિપેક્ષમાં આજે ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નર્મદા જિલ્લામાંથી ભાજપની વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના લોન્ચ કરી હતી. આમ તમામ રાજકીય પક્ષો આદિવાસી પ્રભુત્વવાળા વિસ્તાર પર સૌથી વધુ ધ્યાન આપી રહ્યા છે. તો જાણીએ તેનું શું ગણિત છે.
આદિવાસી જ્ઞાતિના ગણિત પર નજર કરીએ તો 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓનું 38 બેઠકો પર પ્રભુત્વ છે. જેમાં રાજ્યનો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે. એટલે કે આદિવાસી પૂર્વ પટ્ટીના 14 જિલ્લા ભાજપનું 182 બેઠકોનું સપનું સાકાર કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે 27 અનામત બેઠકોમાંથી 15 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠકો પર BTPનો કબજો છે. જ્યારે ભાજપ પાસે માત્ર 9 બેઠકો જ છે ત્યારે BTPના ગઢમાં ગાબડુ પાડી નર્મદાની 2 બેઠકો અંકે કરવા ભાજપની નજર છે