ભરૂચના 9 પૈકી 7 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ, નદીના પૂર અને સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લહેર

|

Aug 27, 2019 | 2:13 PM

ભરૂચમાં ચાલુવર્ષે મેઘમહેર ખુબ સારી થવાથી ધરતીના તાત સહીત ભરૂચવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે. જિલ્લાના ૯ પૈકી ૭ તાલુકાઓમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી જતા નદી – નાળાં છલકાયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ ગાલામાં આલિયા ભટ્ટનો […]

ભરૂચના 9 પૈકી 7 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ, નદીના પૂર અને સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લહેર

Follow us on

ભરૂચમાં ચાલુવર્ષે મેઘમહેર ખુબ સારી થવાથી ધરતીના તાત સહીત ભરૂચવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે. જિલ્લાના ૯ પૈકી ૭ તાલુકાઓમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી જતા નદી – નાળાં છલકાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

ભરૂચ જિલ્લાનું ઔદ્યોગિક દ્રષ્ટિએ વિશ્વના ફલક પર મહત્વનું સ્થાન અંકિત હોવા છતાં નર્મદા તટે વસેલા ભૃગુકચ્છમાં ખેતી એક મહત્વનો વ્યવસાય છે. ગતવર્ષે ઓછા પડેલા વરસાદના કારણે નર્મદા ડેમ સહિતના જળાશયોમાં ઓછા પાણીની સમસ્યાના કારણે ડાઉન સ્ટ્રિમમાં નર્મદાના સુકાઈ જવા સહિતની સમસ્યાઓ સર્જાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સમુદ્રના પાણી નદીને ધકેલી ૪૦ કિમિ સુધી ઘુસી આવતા ખારાશ ફેલાઈ હતી પરંતુ ચાલુવર્ષે મેઘરાજા ભૃગુઋષિની આ પવન ભૂમિ ઉપર મનમુકીને વરસ્યા છે. ભરૂચમાં જંબુસર અને ઝગડિયાને બાદ કરતા અન્ય સાતેય તાલુકાઓમાં સીઝનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તાલુકા સિઝનનો વરસાદ ટકામાં

ભરૂચ      ૧૨૭
આમોદ    ૧૪૬
અંકલેશ્વર ૧૨૭
હાંસોટ     ૧૬૨
નેત્રંગ        ૧૫૩
વાગરા       ૧૧૩
વાલિયા      ૧૫૯
જંબુસર       ૮૬
ઝગડીયા     ૬૪

ભરૂચમાં ભૂગર્ભ જળ ખરા થવાની મોટી સમસ્યા સર્જાઈ હતી. છેલ્લા ૫ વર્ષમાં નર્મદા નદી કાંઠાથી લઇ અંતરિયાળ વિસ્તારમાં ૨૦૦૦ થી ૩૦૦૦ ટીડીએસવાળું અને ખરું પાણી બોરમાંથી મળતું હતું પરંતુ વરસાદ અને નદીના પૂરે ભૂગર્ભ જળની ગુણવત્તા અને સ્તર બંને ઊંચા લાવી દીધા છે. દેવાંગભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે તેમના બોરમાં પાણીના તલ ઊંડા ઉતર્યા હતા જે ફરી ઊંચા આવવા સાથે મીઠા થતા પીવાના પાણીની મોટી સમસ્યા હલ થઈ છે.

[yop_poll id=”1″]

ભરૂચના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેતી નિષ્ણાંત નિર્મળસિંહ યાદવએ પરિસ્થિતિ બાબતે જણાવ્યું કે શેરડી અને કેળના પાકને વરસાદે ખુબ લાભ કરાવ્યો છે. સાથે નર્મદામાં પૂરની સ્થિતિ અને ભારે વરસાદના કારણે જમીનમાંથી ખારાશ નાબૂદ થઇ છે. જેની હકારાત્મક અસર ખેડૂતો આગામી બે થી ત્રણ વર્ષ સુધી અનુભવશે જોકે ભારે વરસાદથી તુવેર અને કપાસના પાકને નુકશાન પણ પહોંચ્યું છે.

અંકલેશ્વરના ખેડૂત ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે સારા વરસાદથી શિયાળુ પાકને લાભ થશે દિવેલા, ચણા અને ઘઉં જેવા પાકની ખેડૂતોને સારી ઉપજ મળશે.

Next Article