Morbi News : મોરબી જિલ્લાની હળવદ GIDCમાં થયેલી દુર્ઘટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) દુખ વ્યક્ત કર્યુ છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તમામ મૃતકોની પરિવારજનોને 2-2 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. તો મુખ્યપ્રધાન પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને ઘટનાની તમામ વિગતો મેળવવા માટે સ્થળ પર જવા રવાના થયા છે. સાથે જ તેમણે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. CMO તરફથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the tragedy in Morbi. The injured would be given Rs. 50,000: PM @narendramodi https://t.co/AlbwctnOUy
— PMO India (@PMOIndia) May 18, 2022
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતેં GIDC માં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. pic.twitter.com/OWXbi0oE7d
— CMO Gujarat (@CMOGuj) May 18, 2022
ગુજરાતના મોરબીમાં અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. મેં મુખ્યમંત્રી @Bhupendrapbjp જી સાથે વાત કરી છે, વહીવટીતંત્ર રાહત પહોંચાડવામાં વ્યસ્ત છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી તેમની સારવાર કરવામાં આવી રહી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
— Amit Shah (@AmitShah) May 18, 2022
મોરબી જીલ્લાના હળવદ ખાતે મીઠાના કારખાનાની દિવાલ તૂટી પડવાની ઘટના અત્યંત દુખદ અને હૃદયદ્રાવક છે. આ દુર્ધટનામાં જેમનાં મૃત્યુ નીપજ્યા છે એમનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી અભ્યર્થના.
— C R Paatil (@CRPaatil) May 18, 2022
મીઠાના કારખાનામાં (Factory) મોટી દુર્ઘટના સમાચાર મળી રહ્યા છે. કારખાનામાં દિવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મૃત્યુ થયા છે.હાલ તંત્ર(Morbi District) દ્વારા દિવાલ નીચે દબાયેલા (Wall Collapse) લોકોને બહાર કાઢવા કામગીરી કરવામાં આવી રહી છે.ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટમાં ખસેડવામાં આવી રહ્યા છે.
मोरबी में हुए हादसे में जान गंवाने वालों के परिजनों को प्रधानमंत्री राष्ट्रीय राहत कोष से 2 लाख रुपये और घायलों को 50,000 रुपये दिए जाएंगे: पीएमओ https://t.co/8vnJY12SER
— ANI_HindiNews (@AHindinews) May 18, 2022
ઘટનાના મૃતકોના નામ
ભાજપના નેતા અને પુર્વ મંત્રી જયંતિભાઈ કેવડીયાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.તેણે લખ્યું કે, ભગવાન શ્રમિકોના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના
Published On - 3:05 pm, Wed, 18 May 22