AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi tragedy : કોંગ્રેસી નેતાઓએ ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારને આપી સાંત્વના, અશોક ગેહલોતે કરી ન્યાયિક તપાસની માંગણી

મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ 31.10.22નાં રોજની ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર 'પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવી હતી. કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, લલિત કગથરા, મોરબી (Morbi) પહોચ્યા હતા અને ઇજાગ્રસ્તોના  ખબર અંતર પૂછ્યા હતા તેમજ  જેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા  તેમના પરિવારોને સાંત્વના પણ પાઠવી હતી.

Morbi tragedy : કોંગ્રેસી નેતાઓએ ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારને આપી સાંત્વના, અશોક ગેહલોતે કરી ન્યાયિક તપાસની માંગણી
Ashok Gehlot (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 2:52 PM
Share

મોરબી  દુર્ઘટનાને પગલે રાજકારણ પણ તેજ થયું છે. આ ગોઝારી ઘટના બાદ અશોક ગેહલોત સહિતના કોંગ્રસી નેતાઓ  મોરબીની સિવીલ હોસ્પિટલ પહોંચ્યા છે. રાજસ્થાનના CM અશોક ગેહલોતે આક્ષેપ કર્યો કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોના પોસ્ટમોર્ટમ કર્યા વગર જ મૃતદેહો સોંપાયા છે. તેમજ અશોક ગેહલોતે હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયીક તપાસની માંગણી કરી છે અને 3 મહિનામાં રિપોર્ટ સોંપવામાં આવે તેવી માંગ પણ કરી છે. અશોક ગેહલોતે  દાવો કર્યો હતો કે આ ઘટનામાં SIT નો કોઇ વિકલ્પ જ નથી,  તેમણે કહ્યું હતું કે પુલ પર વધુ લોકો હોવાને કારણે દુર્ધટના ઘટી છે. ત્યારે કોની પરવાનગીથી બ્રિજ ખોલવાની મંજૂરી અપાઇ તે મોટો સવાલ  છે.

ત્યારે   હવે  મોરબીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓ મૃતકો તેમજ ઇજાગ્રસ્તોને આપવામાં આવેલી સહાયથી માંડીને  પુલના કામકાજ અંગે પ્રશ્નો કરીને સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે. દરમિયાન અર્જુનસિંહ તેમજ લલિત કગથરા હોસ્પિટલની મુલાકાત દરમિયાન ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને ભાવુક થઈ ગયા હતા.  તો  કોંગ્રેસની પરિવર્તન યાત્રા પણ આજના દિવસ  પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી.

કોંગ્રેસની પરિવર્તન યાત્રા એક દિવસ પૂરતી મોકૂફ

મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ 31.10.22નાં રોજની ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર ‘પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવી હતી. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને સિનિયર નિરીક્ષક અશોક ગેહલોત પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વરિષ્ઠ નેતા બી. કે. હરિપ્રસાદજી, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા સહિત  કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, લલિત કગથરા, મોરબી પહોચ્યા હતા અને ઇજાગ્રસ્તોના  ખબર અંતર પૂછ્યા હતા તેમજ  જેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા  તેમના પરિવારોને સાંત્વના પણ પાઠવી હતી.

સમગ્ર ગુજરાત શોકમગ્ન

મોરબીની આ કરૂણાંતિકાને પગલે  સમગ્ર ગુજરાત જાણે શોકમગ્ન થઈ ગયું હતું.  ત્યારે  રાજનેતાઓથી માંડીને   સામાન્ય લોકોએ પણ  સ્થળની અંગત મુલાકાત લઈને તો કોઈએ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતના  સોશિયલ મીડિયા પણ પોતાની દુઃખદ લાગણી પ્રદર્શિત કરી હતી.  ઘણા બધા સામાન્ય નાગરિકો એવા છે જેઓ શોકગ્રસ્તોના દુઃખમાં ભાગ પડાવવા માગતા હોય તેમ પોત પોતાના ફોનમાં  શોકાંજલિના સ્ટેટસ અને  શ્રદ્ધાંજલિઓના સ્ટેટસ પણ મૂક્યા હતા.  તો કેટલાય લોકો સ્વૈચ્છિક રીતે સેવાકાર્યમાં પણ જોડાઈ ગયા હતા.

Follow Us
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી
30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી
ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video
ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video
ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ
ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ
ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી
નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો
નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
g clip-path="url(#clip0_868_265)">