AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Birthday: મોરારી બાપુએ વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી

જાણીતા કથાકાર મોરારી બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમજ મોરારી બાપુએ તાજેતરમાં યોજાયેલી G20 સમિટની અભૂતપૂર્વ સફળતા માટે પણ વડા પ્રધાનને અભિનંદન પણ પાઠવ્યા હતા.આજે 17 સપ્ટેમ્બરે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ છે. ત્યારે મોરારી બાપુએ જણાવતા કહ્યું કે વ્યાસપીઠ વતી, તેમને જન્મ દિવસ શુભેચ્છા પાઠવું છું.

PM Modi Birthday: મોરારી બાપુએ વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી
PM Modi Birthday
Darshal Raval
| Edited By: | Updated on: Sep 17, 2023 | 9:16 AM
Share

PM Modi birthday : જાણીતા કથાકાર મોરારી બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમજ મોરારી બાપુએ તાજેતરમાં યોજાયેલી G20 સમિટની અભૂતપૂર્વ સફળતા માટે પણ વડા પ્રધાનને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આજે 17 સપ્ટેમ્બરે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ છે. ત્યારે મોરારી બાપુએ જણાવતા કહ્યું કે વ્યાસપીઠ વતી, તેમને જન્મ દિવસ શુભેચ્છા પાઠવું છું. હું ભગવાન હનુમાનના ચરણોમાં તેમના લાંબા આયુષ્ય અને સતત સફળતા માટે પ્રાર્થના કરું છું,” મોરારી બાપુએ દિલ્લીમાં તેમની રામકથા દરમિયાન શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : Gujarati Video: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 18-19 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં થશે ભારે વરસાદ, દાહોદમાં રેડ એલર્ટ

સાથે જ મોરારી બાપુએ નવી દિલ્હી જી-20 સમિટની સફળતાના વખાણ પણ કર્યા હતા. વખાણ કરતાની સાથે જ જણાવ્યું, જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓએ 9 અને 10 સપ્ટેમ્બરે હાજરી આપી હતી. તો કેટલાક રાજકીય નેતાઓ દ્વારા સનાતન ધર્મના સંદર્ભમાં કરવામાં આવેલી કેટલીક વિચિત્ર ટિપ્પણીઓને પગલે ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કરતા, મોરારી બાપુએ પીએમ મોદીની આવી ટિપ્પણીઓને સખત ખંડન કરવા બદલ પ્રશંસા કરી હતી.

ભાજપ ‘સેવા પખવાડિયાની’ કરશે શરુઆત

ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રવિવારે ‘સેવા પખવાડિયાની’ શરૂઆત કરશે. વધુમાં પાર્ટી વડાપ્રધાનના જન્મદિવસ પર નમો એપ દ્વારા ‘એક્સપ્રેસ યોર સેવા ભવ’ અભિયાન (Sevabhava Abhiyan) શરૂ કરશે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ નાગરિકોને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરવાનો છે. જેમાં તેઓને કરોડો ભારતીયો પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવે છે.

આ વર્ષે નમો એપનો ઉપયોગ કરીને લોકો વીડિયો મેસેજ દ્વારા પીએમ મોદીને તેમની શુભકામનાઓ પણ આપી શકે છે. તેમણે તેમનો જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતો વીડિયો નમો એપ પર અપલોડ કરવાનો રહેશે. વીડિયો વોલ પર શુભકામનાઓના તમામ વીડિયો પણ દેખાશે. પાર્ટીનું કહેવું છે કે નમો એપના યુઝર્સ, પછી ભલે તે કાર્યકર્તા હોય કે અન્ય કોઈ, વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર તેમની ‘સેવા ભેટ’ના ભાગરૂપે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાની ભાવના વ્યક્ત કરી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">