કોરોનાકાળમાં સમૂહ લગ્ન યોજવા મુશ્કેલ બન્યા છે. તેવા સમયે પાટીદાર સમાજે અનોખી પહેલ શરૂ કરી છે. જે મુજબ મહેસાણાના આઠ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા દર રવિવારે એક લગ્ન યોજવામાં આવે છે. એક જ દિવસે વધારે યુગલોના લગ્ન કરીને ભીડ એકત્ર ન થાય તેવા હેતુસર પાટીદાર સમાજ દ્વારા આવું આયોજન કરાયું છે. જેમા બંનેના પરિવાર તરફથી 45-45 લોકો હાજર રહે છે. સાથે જ સમાજના 10 આગેવાનો આ લગ્નપ્રસંગમાં હાજર રહે છે. આમ સમાજની દિકરીઓના સમૂહ લગ્ન પણ થઈ જાય છે અને એક જ જગ્યાએ વધારે લોકો પણ એકત્ર થતા નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો