અંબાજી મંદિરમાં માતાજીની ઘટ સ્થાપના કરાઇ, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર

|

Oct 07, 2021 | 12:23 PM

અંબાજી માતાના મંદિરે ભકતો ભારે સંખ્યામાં દર્શને આવી રહ્યાં છે. જો કે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આશંકાના પગલે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિરમાં માતાજીની ઘટ સ્થાપના કરાઇ, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર
Mataji Ghat Sthapna in Ambaji temple premises Loud with the sound of Jai Ambe

Follow us on

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજીમાં નવરાત્રીની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે પ્રથમ નોરતે માતાજીની ઘટ સ્થાપના  કરવામાં આવી  હતી.  જેની બાદ નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવશે. અંબાજી માતાના મંદિરે ભકતો ભારે સંખ્યામાં દર્શને આવી રહ્યાં છે.

જો કે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આશંકાના પગલે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. જેના પગલે અંબાજીનું મંદિર માત્ર દર્શન માટે જ ખુલ્લુ રહેશે. જો કે અંબાજીમાં માતાજીના દર્શનના સમયમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જેમાં સવારના આઠ વાગેથી રાતના નવ વાગે સુધી ત્રણ વાર દર્શન માટે મંદિર ખોલવામાં આવશે.

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય આ પ્રમાણે રહેશે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સવારે આરતી 7.30 થી 8.00

સવારે દર્શન 8.00 થી 11.30

બપોરે દર્શન- 12.30 થી 4.15

સાંજે આરતી- 6.30 થી 7.00

જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રી ના 9.00 કલાક સુધી કરી શકાશે

ઉલ્લેખનીય છે કે દુર્ગાષ્ટમીના રોજ સવારની આરતી 6.00 કલાકે અને જવારા ઉત્થાપન 11.10 કલાકે થશે.

નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે. તેવી માં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય. હાલમા કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં ગરબા રમી નહી શકાય.

ગુરુવારથી માં અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસામ જોવા મળશે. પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે. જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે

હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ સતત બીજા વર્ષે પણ મુલત્વી રાખવામાં આવ્યો છે. પણ મંદિર માં દર્શન આરતીનો લ્હાવો લઈ શકશે.

આ પણ વાંચો : અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના મંદિરે પ્રથમ નોરતે ભક્તોની ભારે ભીડ

આ પણ વાંચો :પીએમ મોદીએ 20 વર્ષમાં દેશ અને લોકોની પ્રગતિ માટે રાત-દિવસ પરિશ્રમ કર્યો : અમિત શાહ 

Published On - 12:22 pm, Thu, 7 October 21

Next Article