સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને મ્યુનિસિપલ કમિશનરે, ફેસબુક લાઈવ દ્વારા સુરતના શહેરીજનોને સંદેશ આપતા કહ્યું કે, જ્યા સુધી કોરોનાની રસી ના શોધાય ત્યા સુધી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન-હેન્ડ વોશ એ કોરોનાને મારતુ બ્રહાસ્ત્ર છે.
તાઈવાન જેવા દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ છે. કારણ કે ત્યાંના નાગરીકો અનુશાસિત રીતે માસ્કનો ઉપયોગ કરે છે. જેમાંથી પ્રેરણા લઈને જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર દુકાનમાં, મોલ, ઓફિસો, રિક્ષા, બસમાં કે અન્ય જાહેર સ્થળ પર આવે તો તેના પ્રવેશ સામે મનાઇ ફરમાવવા કમિશનરે તાકીદ કરી હતી.
છેલ્લાં કેટલાંક દિવસોમાં રેલ્વે સ્ટેશન પરથી 100 થી વધુ લોકો કોવિડ પોઝિટીવ આવી ચુક્યાં છે. ટેક્ષી ડ્રાઈવર, ઓટો ડ્રાઈવરો પણ સુપર સ્પ્રેડર્સ બન્યા છે. સંયુક્ત પરિવારમાં વધી રહેલાં સંક્રમણને ધ્યાને લઈ બછાનિધી પાનીએ આવા ઘરોમાં રહેતા તમામે ઘરની અંદર પણ માસ્ક પહેરવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાં સાથે સાવચેતી રાખવાનો આગ્રહ સેવ્યો હતો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:47 am, Wed, 9 September 20