કોરોનાની અસર રક્ષાબંધનના પર્વ ઉપર, કોરોનાના સંક્રમણની ભીતિથી બહેનો નથી ખરીદતી રાખડી, રાખડી બજારમાં 50 ટકા જ ઘરાકી
રક્ષાબંઘન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવા છતા, કોરોનાના ભયના કારણે રાખડી બજારમાં ઘરાકી જોવા મળતી નથી. અમદાવાદ અને સુરતમાં રાખડીના મુખ્ય બજારો સુમસામ છે. સ્વાભાવિક છે કે કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જરુરી છે. પંરતુ રાખડીની દુકાનોમાં કોઈ ગ્રાહક જ જોવા નથી મળતુ. રાખડીના વેપારીઓનું કહેવુ છે કે રાખડી કોના દ્વારા કેવી […]
Follow us on
રક્ષાબંઘન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવા છતા, કોરોનાના ભયના કારણે રાખડી બજારમાં ઘરાકી જોવા મળતી નથી. અમદાવાદ અને સુરતમાં રાખડીના મુખ્ય બજારો સુમસામ છે. સ્વાભાવિક છે કે કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જરુરી છે. પંરતુ રાખડીની દુકાનોમાં કોઈ ગ્રાહક જ જોવા નથી મળતુ. રાખડીના વેપારીઓનું કહેવુ છે કે રાખડી કોના દ્વારા કેવી સ્થિતિમાં બની હોય તેને લઈને બહેનો ચિંતામાં છે. પાછુ રાખડી મોકલવામાં પણ કોરોનાનું સંક્રમણ થઈ જવાની ચિંતામાં આ વર્ષે ખરીદી અડધો અડધ જોવા મળે છે. અમદાવાદ અને સુરતમાં રાખડીના વેપારીઓ પુરતી ઘરાકી વિના ચિંતામાં છે.