ફરી એકવાર શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની પરીક્ષા લેતો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. મોરબીના પીપળીયા ગામે એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાનો દાવો કરતા મોરબી પંથકમાં લોકો ચોંકી ઉઠ્યા છે. પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડિયાએ આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધી લેવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો: VIDEO: મહેસાણા બાયપાસ માટે જમીન આપનાર ખેડૂતોને મળશે રાહત, 200 કરોડથી વધુ વળતરની જાહેરાત
સમાધી લેવાની જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો કાંતિલાલના દર્શન કરવા પીપળીયા આવી રહ્યાં છે. જીવતા સમાધી લેવાના મુદ્દે કાંતિલાલનું કહેવું છે કે 15 વર્ષે પહેલા તેમને શ્વાન કરડ્યું હતું. અને તેના સપનામાં નવઘણદાદા આવ્યા હતા જેમણે રોગમાંથી મુક્તિ અપાવી હતી. અને દેહત્યાગ કરવા કહ્યું હતું. કાંતિલાલ જણાવે છે કે નવઘણદાદાએ તેને જીવતા સમાધી લેવાની વાત સપનામાં કહી છે. જેથી તે જીવતા સમાધી લેવાના છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કાંતિલાલના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રવધુ છે. અને ત્રણ ભાઈઓ સાથે રહે છે. પહેલા કાંતિલાલ હીરા ઘસવાનું કામ કરતા હતા. પરંતુ ચાર-પાંચ વર્ષ પહેલા હીરાના કારખાના બંધ થતા હીરા કામ કરવાનું બંધ કર્યું હતું. હાલ સમાધીની વાતને લઈ પરિવારજનો પણ તેમને મનાવવાની અનેક વાર કોશિષ કરી ચૂક્યા છે. તેમ છતાં કાતિલાલ પોતાની વાત પર અડગ છે. ગામના સરપંચે પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. છતા કાંતિલાલ કોઈની વાત માનવા તૈયાર નથી. અને આગામી સમયમાં સમાધી લેશે તેવું કહી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો