મોરબી માર્કેટીગમાં ઢીચણ સુધી પાણી, અનાજ પલળી જતા કરોડોનું નુકસાન
મોરબી અને તેની આજુબાજુમાં પડેલ ભારેથી અતિ ભારે વરસાદને પગલે, મોરબી એપીએમસીમાં ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા છે. એપીએમસીમાં ઢીંચણ સમા ભરાયેલા પાણીથી એપીએમસીના અનેક વેપારીઓની દુકાનમાં એકથી બે ફુટ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાથી અનાજની બોરીઓ પલળી જવા પામી છે. જેના કારણે એપીએમસીના વેપારીઓને કરોડોનું નુકસાન થયુ છે. વેપારીઓનું કહેવુ છે કે, […]
Follow us on
મોરબી અને તેની આજુબાજુમાં પડેલ ભારેથી અતિ ભારે વરસાદને પગલે, મોરબી એપીએમસીમાં ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા છે. એપીએમસીમાં ઢીંચણ સમા ભરાયેલા પાણીથી એપીએમસીના અનેક વેપારીઓની દુકાનમાં એકથી બે ફુટ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાથી અનાજની બોરીઓ પલળી જવા પામી છે. જેના કારણે એપીએમસીના વેપારીઓને કરોડોનું નુકસાન થયુ છે. વેપારીઓનું કહેવુ છે કે, દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સમસ્યા સર્જાય છે. કારણ કે એપીએમસીમાં પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ખોટી દીશામાં રખાયેલ છે. જે બાજુ ઢાળ છે તેની વિરુધ્ધમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોવાથી આ સમસ્યા સર્જાતી રહે છે.