કોરોના વાઈરસના કેસમાં વધારો ના થાય તે માટે ફરીથી સરકારે લોકડાઉનમાં વધારો કર્યો છે. જો કે લોકડાઉનમાં કઈ કઈ છૂટ આપવી તે અંગે રાજ્ય સરકારે નિર્ણય લેવાનો રહેશે. ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન માટે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે. લોકડાઉન વધારવાની કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ રેડ ઝોન અંગે સ્પષ્ટતા કરી દીધી છે. મહાનગર છે ત્યાંના રેડ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને હવે રાજકોટમાં પણ કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. આ સ્પષ્ટતા સીએમના સચિવે કરી છે. જેમાં પાન પાર્લર પણ બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચો : વરિષ્ઠ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દિલ્હી સ્થિત CRPF હેડક્વાર્ટર કરાયું સીલ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:04 pm, Sun, 3 May 20