ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે, મુખ્યપ્રધાનને પત્ર લખીને સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારોહ માટે નિયત કરેલ સભ્યસંખ્યા વઘારવા માટે રજૂઆત કરી છે. હાલ કોરોનાકાળમાં સામાજીક, રાજકીય કે ધાર્મિક કાર્યક્રમમા 100 વ્યક્તિ જ હાજર રહી શકે તેવી જોગવાઈ અને દિશા નિર્દેશ કરાયો છે. આ સભ્ય સંખ્યા 100થી વધારીને 200 કરવી જોઈએ તેવી માંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે કરી છે. જો 200 વ્યક્તિની મર્યાદા કરવામાં આવે તો, હોટલ, કેટરીગ, મંડપ કિપર્સ, સાઉન્ડ સિસ્ટમ સહીતના વ્યવસાયીઓને જે તકલીફ પડી રહી છે તેનું નિરાકરણ આવી શકે છે. અને લોકોને સામાજીક પ્રસંગો ઉજવવામાં કોઈ તકલીફ ના પડે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આજથી 139 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો