રાજ્યમાં હાલ કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઇ છે. વડાપ્રધાનથી માંડી મુખ્યપ્રધાન સુધી તમામે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે પરંતુ આપણી પ્રજા છે કે સુધરવાનું નામ નથી લઇ રહી. ભાઇ-બીજ નિમિત્તે સોમનાથના ત્રિવેણી સંગમ પર પવિત્ર સ્નાન માટે હજારો મહિલાઓએ પડાપડી કરી અને એવી તો ભીડ જમાવી કે ન રહ્યું સોશિયલ ડિસ્ટન્સ કે ન જોવા મળ્યો ફરજિયાત માસ્કનો નિયમ.
સ્નાન કરીને પવિત્ર થવા થનગનતી આ મહિલાઓને કોણ સમજાવે કે જીવ બચ્યો તો આવતા વર્ષે ફરી સ્નાન કરીને ધન્યતા પ્રાપ્ત થઇ જશે પરંતુ જો સંક્રમણથી જીવ ગયો તો શું કરશો ? ધન્યતા પ્રાપ્ત કરવામાં જો સંક્રમણ મળી ગયુ તો શું કરશો ? જોકે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ પણ રહી કે આ મહિલાઓને નિયમોનું પાલન કરાવનાર કોઇ નહોતું. સુરક્ષાકર્મીઓ હોય કે પછી વહીવટી તંત્ર તમામે જાણે કે આંખ આડા કાન કર્યા હોય તેમ મહિલાઓને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. જો આવી જ રીતે નિયમોનો છેદ ઉડતો રહેશે તો આવનારૂ નવું વર્ષ પણ કોરોનાકાળમાં મુક્તિ નહીં મળે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 8:56 am, Wed, 18 November 20