મોદી સરકારે દેશના અર્થતંત્રને મજબૂત કરવા નોટબંધી જેવો આકરો નિર્ણય લીધો હતો. પરંતુ કેટલાંક તત્વો કાવતરું ઘડી દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના પ્રયાસમાં લાગ્યા છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે નોટબંધી બાદ દર વર્ષે લાખો-કરોડો રૂપિયાની નકલી નોટો બેંકોમાં ઘૂસાડવામાં આવી રહી છે.
દિવાળીમાં ખરીદી માટે તમે નીકળો અને ખબર પડે કે તમારી પાસે બંડલમાં આવેલી નોટ તો નકલી છે તો આંચકો લાગે ને? હકીકતમાં આવો આંચકો બેંકોને લાગ્યો છે કેમ કે લગભગ 2.5 કરોડ રૂપિયા જેટલી નકલી નોટ બેંકોમાં પધરાવાઈ છે. SOG એટલે કે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે આવી કરોડો રૂપિયાની નોટ જપ્ત કરી છે. એક સમય હતો કે દેશમાં નકલી નોટોનું એટલું મોટું રેકેટ ફેલાયેલું હતું કે કાળા નાણાનો ભરાવો થઈ ગયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પરંતુ અચાનક નોટબંધીનો નિર્ણય આવ્યો અને નકલી નોટનો બે નંબરી કારોબાર પત્તાના મહેલની જેમ કડડડભૂસ થઈ ગયો. એ વખતે કોમન મેનને હતું કે હવે કમસે કમ દેશનું અર્થતંત્ર મજબૂત થશે પણ હાલમાં જે હકીકત સામે આવી છે એ જોતાં ધ્રુજારી આવી જાય એવું છે. અત્યારે બજારમાં ફરીથી 2000, 500 અને 200ની નવી નોટોની પણ ઝેરોક્ષ કરેલી નકલી નોટો થઈ બેંકમાં જમા થઈ રહી છે.
છેલ્લા 6 વર્ષમાં SOGએ 23 જેટલા ગુના દાખલ કરી 5 કરોડ 61 લાખ રૂપિયા જેટલી નકલી નોટો જપ્ત કરી છે. જેમાં નોટબંધી પહેલા 3 કરોડ 60 લાખ 94 હજાર અને નોટબંધી બાદ 2 કરોડ 27 લાખ 95 હજાર રૂપિયા જેટલી નકલી ચલણી નોટો જપ્ત કરી લેવાઈ છે. દેશ વિરોધી તત્વો ચલણી નોટની કલર ઝેરોક્ષ અથવા પ્રિન્ટ કરીને નોટોના બંડલ વચ્ચે મુકીને બેંકમાં પધરાવી દે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બેંક 3થી 4 મહિને ઓડિટ કરે ત્યારે આ વિગતો સામે આવતી હોય છે. જેને આધારે SOG ગુનો દાખલ કરી તપાસ કરે છે. તેમની તપાસમાં ખુલ્યું છે કે ખાનગી બેંકોમાં નકલી નોટ વધારે પ્રમાણમાં ઘુસાડવામાં આવે છે. SOG નકલી નોટની ચકાસણી માટે બેંક સાથે મિટિંગ કરતી હોય છે. છતાં પણ નકલી નોટ ઘૂસાડનારા સફળ થઈ રહ્યા છે, એ જ ચિંતાનો વિષય છે.