ખેડા (Kheda) જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની (bullet train project) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને જિલ્લામાંથી પસાર થતા 20 કીમીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 16 કીલોમીટરના રૂટમાં પિલર ઊભા કરી દેવામાં આવ્યા છે અને ફક્ત 4 કીલોમીટરનું કામ બાકી રહ્યું છે. ઉત્તરસંડા પાસે હાઈવે નંબર 48 પરથી એન્ટ્રી વાળુ સ્ટેશન પણ બનાવવામાં આવશે. વિશ્વકર્મા જયંતીના દિવસે મુખ્ય દંડક અને નડિયાદના (Nadiyad) ધારાસભ્ય પંકજ દેસાઈએ (Pankaj Desai) આ ડ્રિમ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. વિશ્વકર્મા જયંતી નિમિત્તે ઉત્તરસંડા સીમમાં આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુખ્ય ઓફિસમાં હવન, પૂંજાનુ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લામાંથી 20 કીલો મીટરના પટ્ટામાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ વર્ક પૂરજોશમાં ચાલી રહ્યું છે પિલ્લરો બીછાવાથી માંડીને તેના સ્ટેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 20 કીમી પૈકી 16 કીમીના એરીયામા પીલ્લરો ઊભા કરી દેવાયા છે. 4 કીમીના એરીયામા પીલ્લરો ઊભા કરવાના બાકી છે. અને આવનાર દિવસોમાં ટ્રેક નાખવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. ખેડા (Kheda) જિલ્લાની વાત કરવામાં આવે તો અહીયા લગભગ 20 કીમીના પટ્ટામાંથી આ ટ્રેન પસાર થનાર છે. આ 20 કીમી પૈકી 16 કીમીના એરીયામા હાલ મોટા પીલ્લરો ઊભા કરી દેવાયા છે. અને હજુ 4 કીમીમા આ કામ બાકી છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજીવકુમાર સિઘ સતત મોનિટરીંગ કરી આ કામગીરી કરી રહ્યા છે.
મહત્વનું છે કે ખેડા જિલ્લામાં બુલેટ ટ્રેનના 20 કીમીના પટ્ટામાંથી લગભગ 26 જેટલા ગામડાઓ આવે છે. ત્યારે આ તમામ ગામના સરપંચો સાથે પીપલગના સરપંચ મનીષભાઈ સતત મીટીંગ કરી બુલેટ ટ્રેનનું કામ ક્યાંય પણ અવરોધમાં ન પડે તે રીતે સમજાવટ પણ કરી હતી. આ 20 કીમીના પટ્ટામાં 26 ગામોની સીમમાથી પસાર થનારી બુલેટ ટ્રેન આગામી દિવસોમાં ચરોતર માટે રોનકરૂપ ગણાશે..
આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટમા ગઈ છે જેનુ વળતર મળવાનું છે તે જંત્રીના સવા છ ઘણું વધારે વળતર આપવામાં આવ્યું છે. અહીંયા લગભગ હાલ આ પ્રોજેક્ટ દરમિયાન 500થી વધુ લોકોને સ્થાનિકોને રોજગારી મળી રહી છે. 2 હજાર જેટલા કર્મચારીઓ દિવસ રાત અહીંયા મહેનત કરી રહ્યા છે. પીપલગ ગામના સરપંચ મનીષભાઈએ 26 જેટલા સરપંચો સાથે મીટીંગ કરી અને તેઓએ આગેવાનાની લીધે જમીનનું ઝડપથી પોઝિશન સોપાઈ જાય તે માટેની કામગીરી કરી છે અને માટે જ આજે 16 કિલોમીટરની અંદર પિલ્લરો ઊભા કરી દેવામાં આવ્યા છે. ઉત્તરસંડા પાસે નેશનલ હાઇવેથી એન્ટ્રી આવે તે રીતનુ સ્ટેશન પણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટ આવનાર દિવસોમાં નડિયાદ નહીં પરંતુ ચરોતરની રોનક ગણાશે.
Published On - 10:02 am, Sun, 18 September 22