Kheda: માતરના MLA કેસરીસિંહ સોલંકીને મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરમાં ખખડાવ્યા, કહ્યુ- કીધુ નથી છતા ક્યાંથી આવી જાવ છો

ખેડાની માતર મામલતદાર કચેરીની મુલાકાતે પહોંચેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) બોગસ ખેડૂતોને આ ચેતવણી આપી છે. સાથે જ ખેડામાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમના સ્વાગત માટે આવતા રાજેન્દ્ર ત્રિવેદી નારાજ થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 3:27 PM

રાજ્યમાં બનાવટી દસ્તાવેજથી (Fake Document) બોગસ ખેડૂત બનેલા લોકોની હવે ખેર નહીં. કોઇ પણ બોગસ ખેડૂતને (Bogus farmer) છોડવામાં નહીં આવે. ખેડાની માતર મામલતદાર કચેરીની મુલાકાતે પહોંચેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) બોગસ ખેડૂતોને આ ચેતવણી આપી છે. સાથે જ ખેડામાં (Kheda) માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમના સ્વાગત માટે આવતા રાજેન્દ્ર ત્રિવેદી નારાજ થયા હતા અને જાહેરમાં જ કહી દીધુ હતુ કે, ‘તમને કહ્યું નથી તો પણ કેમ આવ્યા ?’

ખેડા જિલ્લામાં ખોટા દસ્તાવેજથી બોગસ ખેડૂત બન્યાં હોવાની ફરિયાદ બાદ રાજેન્દ્ર ત્રિવેદી માતર મામલતદાર કચેરીની મુલાકાતે પહોંચ્યાં હતા. મહેસૂલ વિભાગના કર્મચારીઓને સાથે રાખી બોગસ ખેડૂતો અંગે જાત તપાસ કરી હતી. આ પ્રસંગે ચેતવણી આપતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ખોટા દસ્તાવેજથી ખેડૂત બનેલા બોગસ લોકો ચેતી જાય. બદઇરાદાથી સામુહિક જમીન ખરીદાય તેના પર સરકારની નજર છે. અમે બોગસ લોકોને જગતનો તાત નહીં બનવા દઇએ. સાથે જ કહ્યું કે, માતરમાં 2 હજાર વિઘા જમીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. તમામની જમીન જપ્ત કરાશે.

બીજી તરફ માતરના ધારાસભ્ય સ્વાગત માટે આવતા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી નારાજ થઇ ગયા હતા. મહેસુલ પ્રધાને જાહેરમાં જ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું અપમાન કર્યુ હતુ. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ કે, ‘કીધુ નથી છતા ક્યાંથી આવી જાવ છો’. મહત્વનું છે કે પંચમહાલના જિમીરા રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયા બાદ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને હાલોલ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. જે પછી કેસરીસિંહ સોલંકીથી ભાજપ દૂરી બનાવી રહ્યુ છે. જિલ્લામાં મહત્વના કાર્યક્રમોથી કેસરીસિંહ સોલંકીને રાખવામાં દૂર આવે છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">