કોરોના વોરિયર્સ માટે હવે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા પણ આગળ આવી છે. કાલુપુર મંદિર ખાતે મહિલા અને પુરુષ પોલીસકર્મીઓ માટે 12 બેડનો આઇસોલેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 12 માંથી 5 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. ડોકટર દિવસ દરમિયાન 3 વખત વિઝીટ કરશે અને ટેલીમેડિસિન માટે પણ વ્યવસ્થા કરાઈ છે. અહીં આઇસોલેશનમાં રહેનાર પોલીસકર્મીઓને ગરમ નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.
આ પણ વાંચો: હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાનો મામલો, રાજ્ય સરકારે તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસણીના આપ્યા આદેશ