Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસકર્મીઓ માટે તૈયાર કરાયો 12 બેડનો આઇસોલેશન રૂમ

|

Apr 26, 2021 | 2:12 PM

ડોકટર દિવસ દરમિયાન 3 વખત વિઝીટ કરશે અને ટેલીમેડિસિન માટે પણ વ્યવસ્થા કરાઈ છે. અહીં આઇસોલેશનમાં રહેનાર પોલીસકર્મીઓને ગરમ નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.

કોરોના વોરિયર્સ માટે હવે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા પણ આગળ આવી છે. કાલુપુર મંદિર ખાતે મહિલા અને પુરુષ પોલીસકર્મીઓ માટે 12 બેડનો આઇસોલેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 12 માંથી 5 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. ડોકટર દિવસ દરમિયાન 3 વખત વિઝીટ કરશે અને ટેલીમેડિસિન માટે પણ વ્યવસ્થા કરાઈ છે. અહીં આઇસોલેશનમાં રહેનાર પોલીસકર્મીઓને ગરમ નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.

 

આ પણ વાંચો: હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાનો મામલો, રાજ્ય સરકારે તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસણીના આપ્યા આદેશ 

Next Video