અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, અપાશે હેરિટેજ લુક

|

Dec 28, 2018 | 5:01 AM

દેશના પહેલા હેરિટેજ શહેર અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માટે રેલવે સ્ટેશન પર પેસેન્જર સુવિધા ‌વધારવાની સાથે કાયાપલટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે તેથી આગામી સમયમાં રેલવે સ્ટેશન પર ઉતરનારા મુસાફરોને હવે હેરિટેજ સિટી જેવો અનુભવ પ્લેટફોર્મ પર જ થશે. દેશના પ્રથમ હેરિટેજ સીટી અમદાવાદનું રેલવે સ્ટેશન […]

અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, અપાશે હેરિટેજ લુક
Kalupur railway station

Follow us on

દેશના પહેલા હેરિટેજ શહેર અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માટે રેલવે સ્ટેશન પર પેસેન્જર સુવિધાવધારવાની સાથે કાયાપલટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે તેથી આગામી સમયમાં રેલવે સ્ટેશન પર ઉતરનારા મુસાફરોને હવે હેરિટેજ સિટી જેવો અનુભવ પ્લેટફોર્મ પર જ થશે.

દેશના પ્રથમ હેરિટેજ સીટી અમદાવાદનું રેલવે સ્ટેશન પણ હવે હેરિટેજલુકમાં જોવા મળશે. નવો લુક આપવા માટેનું સંપૂર્ણ આયોજન કરી દેવાયુ છે જેના કારણે પ્લેટફોર્મ નંબર 1ને રિનોવેશન માટે 2 જાન્યુઆરીથી 50 દિવસ બંધ રાખવામાં આવશે. અને આ પ્લેટફોર્મ પાર આવનાર 22 ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પણ ડાયવર્ટ કરાશે જેના કારણે સ્ટેશન પર પ્રતિ દિવસ આવનાર 105 ટ્રેનો પણ પ્રભાવિત થશે. જ્યારે વડોદરાથી આવનારા મેમુ અને ડેમુ ટ્રેનોને વટવા અને સાબરમતી સુધી સ્ટોપેજ આપવામાં આવશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

અમદાવાદ સ્ટેશનની પણ કાયાપલટ કરવાની કવાયત શરુ થઇ ગઈ છે જેથી રેલવે સ્ટેશન ઉપર ઉતરતાની સાથેજ મુસાફરોને હેરીટેજ સીટીનો અનુભવ કરાવી શકાય. નવા લુક માટે પ્લેટ ફોર્મ નંબર એક પર નવા બદલાવ કરવામાં આવશે. આમાં દિવાલો ઉપર જીઆરસીની જાળીઓ લગાવવામા આવશે સાથે તેમા લાઇટો લગાવાશે. જેનો વિશેષ અવસરો ઉપર ઉપયોગ કરી શકાય. પ્લેટફોર્મ ઉપર ગ્રેનાઇટનો ઉપયોગ કરાશે. સાથે દિવ્યાંગો માટે અનુકુળ એવી ગાઇડીંગ ટાઇલ્સ લગાવવામા આવશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી પ્લેટફોર્મ નબંર 1 ઉપરથી રાજધાની એક્સપ્રેસ ચાલતી ન હતી પણ નવા લુક બાદ અહીથી રાજધાની એક્સપ્રેસ પણ ચાલશે.

સ્ટેશનના નવા રંગરૂપ માટે 30 કરોડને ખર્ચે નવા આકર્ષણો

 તૈયાર થશે

રેલવે સ્ટેશનને નવો લુક આપવા માટે 30 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનુ કામ 50 દિવસમાં પુર્ણ થશે. પ્લેટફોર્મ નબંર-1નુ કામ પુર્ણ થયા બાદ પ્લેટફોર્મ નંબર -8 નુ કામ હાથ ધરાશે. અહી રેલવે મ્યુઝિયમને વિકસાવાશે. તો 31 ડીસેમ્બરથી 100 ફુટ ઉચો તિરંગો ધ્વજ પણ લગાવવામા આવશે. જેની આસપાસ રંગબેરંગી લાઇટો લગાવવામા આવશે. રેલવે સ્ટેશનના એક્ઝીટ પોઇન્ટને દિલ્લી દરવાજા અને ત્રણ દરવાજા જેવો લુક પણ અપાશે તો બસ સ્ટેન્ડ માટે પણ રેલવે વિભાગ જગ્યા આપશે જ્યા અત્યાધુનિક બસ પોર્ટ બનશે. 

આમ 50 દિવસમાં રેલવેનો કામ પુર્ણ થયા બાદ પ્લેટફોર્મના ઉદ્ઘાટન માટે રેલ્વેપ્રધાન પિયુષ ગોયલ અમદાવાદ આવી શકે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=360]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article