અમદાવાદના નવા કલેક્ટર તરીકે કે. નિરાલાની નિમણૂંક કરવામાં આવી છે. કે.નિરાલા 2005ની બેચના IAS છે. આ ઉપરાંત પાણી પૂરવઠઆ બોર્ડના મેમ્બર સેક્રેટરી છે. કે. નિરાલા રાજકોટના પૂર્વ કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે. મહત્વનું છે કે અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેયને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. તેમની કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં પાંચ વર્ષ માટે પસંદગી થઈ છે. તેમને આંતર રાજ્ય પરિષદના નિર્દેશક બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જુઓ પૃથ્વી પરના સ્વર્ગનો VIDEO: કેદારનાથમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન
ગુજરાત સરકારમાં કે નિરાલાના અનુભવની વાત કરીએ તો તેઓ જુલાઈ 2011થી ગુજરાત સરકારમાં સનદી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કે નિરાલા આણંદ અને સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ઉત્તરાખંડની સરકારમાં પણ કે નિરાલા 8 મહિના માટે દહેરાદૂનના મુખ્ય વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો