મધ્યપ્રદેશના રાજકારણમાં આજનો દિવસ એક મોટો દિવસ સાબિત થઈ શકે છે. કોંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે કેસરિયો ખેસ ધારણ કરશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર સંકટમાં આવી ગઈ છે. કેમ કે જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે સાથે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસથી છેડો ફાડી દીધો છે.
ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, ગઈકાલે પીએમ મોદી અને અમિત શાહ સાથે બેઠક યોજ્યા બાદ સિંધિયાએ સોનિયા ગાંધીને રાજીનામું મોકલ્યું હતું. જેની સાથે જ કોંગ્રેસના નેતાઓએ મહારાજ સામે મોરચો ખોલી દીધો હતો. કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે સિંધિયા લાંબા સમયથી પક્ષને નુકસાન પહોંચાડી રહ્યાં હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:38 am, Wed, 11 March 20