JUNAGADH : કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, મોટાભાગના લોકો ધાર્મિક સ્થાનો અને પ્રવાસનસ્થળોની મુલાકાતે પહોંચી રહ્યાં છે. જોકે, લોકોની ભીડ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું કારણ બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે આવું જ કંઇક હાલ જુનાગઢમાં જોવા મળી રહ્યું છે. અહીં, ગિરનાર રોપ-વેમાં સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ગિરનાર રોપ-વે સવારે 6.30થી શરૂ કરવામાં આવ્યો છે. અહીં, અંબાજી મંદિરમાં દર્શન કરવા ભકતો ઉમટી પડયા હતા. ત્યારે વહેલી સવારે ગિરનાર પરનો કુદરતી નજારો જોવા માટે ભક્તો અને પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી. અહીં, વાદળથી ઢંકાયેલો ગિરનાર પર્વતને જોવાનો લ્હાવો લોકોએ લીધો હતો.
Published On - 3:29 pm, Sun, 11 July 21