જૂનાગઢ (junagadh) જિલ્લાના વંથલી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.જેમાં કારમાં (Car Accident) સવાર બે લોકોના મોત ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.કારમાં સવાર ચારેય લોકો અમદાવાદના (Ahmedabad)હોવાની માહિતી મળી રહી છે.
જૂનાગઢ : વંથલી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર બે લોકોના મોત | Tv9News#Junagadh #Gujarat #Tv9News pic.twitter.com/7OaVX136l8
— Tv9 Gujarati (@tv9gujarati) August 25, 2022
થોડા દિવસો અગાઉ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે(Ahmedabad-Vadodara Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો.આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.રિલાયન્સ પેટ્રોલ પંપ (reliance Petrol Pump) પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા,એક પુરુષ અને એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે જ મોત થયુ હતુ.તમને જણાવી દઈએ કે,અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અકસ્માત નડ્યો હતો.મળતી માહિતી મુજબ તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી હતા.