Junagadh : વંથલી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત

|

Aug 25, 2022 | 10:00 AM

આ અકસ્માતમાં કારમાં (Car Accident) સવાર બે લોકોના મોત ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Junagadh : વંથલી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિના ઘટનાસ્થળે  મોત
Accident

Follow us on

જૂનાગઢ (junagadh)  જિલ્લાના વંથલી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.જેમાં કારમાં (Car Accident) સવાર બે લોકોના મોત ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.કારમાં સવાર ચારેય લોકો અમદાવાદના  (Ahmedabad)હોવાની માહિતી મળી રહી છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

થોડા દિવસો અગાઉ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે(Ahmedabad-Vadodara Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો.આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.રિલાયન્સ પેટ્રોલ પંપ (reliance Petrol Pump) પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા,એક પુરુષ અને એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે જ મોત થયુ હતુ.તમને જણાવી દઈએ કે,અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અકસ્માત નડ્યો હતો.મળતી માહિતી મુજબ તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી હતા.

Next Article