આ કૌભાંડની આશંકા ત્યારે ગઈ જ્યારે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી સારી તુવેરને હલકી ગુણવત્તાની કહીને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. જુનાગઢના કેશોદ માર્કેટયાર્ડ કે જેમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી 5 ટ્રક તુવેર હલકી ગુણવત્તાની છે તેવુ કહીને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. એક સાથે 5 ટ્રક તુવેર રિજેક્ટ થતાં સ્થાનિક ખેડૂતો અને ખેડૂત હિતરક્ષક સમિતિએ મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી.
તેમનો આક્ષેપ છે કે સારી ગુણવત્તાની તુવેર સાથે હલકી ગુણવત્તાની તુવેરની ભેળસેળ કરવામાં આવી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે ટેકાના ભાવે ખરીદીમાં જેમણે કૌભાંડ આચર્યું છે તેવા લોકોને સ્થાનિક તંત્ર અને સરકાર છાવરી રહી છે.
આ તુવેર કૌભાંડમાં જિલ્લા પુરવઠા મામલતદારની પ્રાથમિક તપાસ દરમિયાન સાત આરોપીઓના નામ ખૂલ્યા છે. નિગમના આસિસ્ટન્ટ ઈન્ચાર્જ જે.બી. દેસાઈ અને કિસાન સંઘના પ્રમુખ કાનાભાઈનું નામ ખૂલ્યું છે. ત્યારે બે મજૂર મુકાદમ જયેશ ભારતી અને હિતેશ મકવાણાની સંડોવણી બહાર આવી છે.
જ્યારે બે વેપારીઓ ભરત વઘાસિયા અને જિગ્નેશ બોરિચાનું નામ પણ સામે આવ્યું છે. જિલ્લા પુરવઠા મામલતદારના કહેવા મુજબ હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]