ગિરનાર રોપ-વેનું લોકાર્પણ, સ્થાનિકોને મળશે રોજગારી, પ્રવાસન વિભાગને થશે કરોડોની આવક

|

Oct 24, 2020 | 2:46 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ગિરનાર રોપ-વે યોજનાનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ રોપ-વે યોજના થકી ગુજરાત ટુરિઝમને વેગ મળશે. શું છે રોપ-વેની ખાસિયત અને પ્રવાસીઓને ખિસ્સા કેવી રીતે થશે ખાલી. જાણવા આગળ વાંચો. ઉષા બ્રેકો નામની કંપનીએ એશિયોનો સૌથી લાંબો અને મોટો ગિરનાર રોપ-વે તૈયાર કર્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેરની છે. એક […]

ગિરનાર રોપ-વેનું લોકાર્પણ, સ્થાનિકોને મળશે રોજગારી, પ્રવાસન વિભાગને થશે કરોડોની આવક

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ગિરનાર રોપ-વે યોજનાનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ રોપ-વે યોજના થકી ગુજરાત ટુરિઝમને વેગ મળશે. શું છે રોપ-વેની ખાસિયત અને પ્રવાસીઓને ખિસ્સા કેવી રીતે થશે ખાલી. જાણવા આગળ વાંચો.

ઉષા બ્રેકો નામની કંપનીએ એશિયોનો સૌથી લાંબો અને મોટો ગિરનાર રોપ-વે તૈયાર કર્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેરની છે. એક દિવસમાં 8 હજાર પ્રવાસીઓની રોપ-વે વહનની ક્ષમતા ધરાવે છે. રોપ–વે પ્રોજેક્ટ માટે કુલ 9 ટાવર બનાવાયા છે. ગ્લાસ ફલોરની કેબિનમાં એકસાથે 8 લોકો બેસવાની ક્ષમતા ધરાવે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

પ્રવાસીઓએ આ સેવાના બદલામાં રિટર્ન ટિકિટ માટે 750 રૂપિયા ખર્ચવા પડશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રોપ-વેનું એક તરફનું 450 રૂપિયા ભાડું રાખવામાં આવે તેવી શક્યતા છે. તે સિવાય જો મંદિરે રોકાવાનું થાય તો ભાડામાં 100 રૂપિયાનો વધારો થશે. હવે આપણે પ્રવાસન વિભાગને રોપ-વે થકી કેટલી આવક થશે તે જાણવા આગળ વાંચો.

દિવસના 8 હજાર પ્રવાસીઓ અને પ્રત્યેક વ્યક્તિ ટિકિટ દર 750 રૂપિયા લેખે ગણતરી કરતા દરરોજની 60 લાખ રૂપિયાની આવકનો અંદાજ છે. આમ, પ્રવાસીઓ માટે મોંઘી યોજના થકી પ્રવાસન ઉદ્યોગને કરોડોની આવક થશે. આમ, રોપ-વેની મજા માણવી પ્રવાસીઓ માટે મોંઘી સાબિત થશે. પરંતુ, સ્થાનિક રોજગારીમાં વધારો થશે તે નક્કી છે.

જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકાર્પણના કાર્યક્રમ બાદ પણ નાગરિકો રોપ-વે સેવાનો લાભ નહીં શકે. અને, સ્થાનિકોને આ સેવાના ઉપયોગ માટે વધુ 10 દિવસની રાહ જોવી પડશે.

ગિરનાર રોપ વે પ્રોજેક્ટનું 2007માં ખાતમૂહુર્ત થયું હતું. જોકે એક પછી એક પડકારોનો સામનો કર્યા બાદ હવે ગિરનાર રોપ-વે બનીને તૈયાર છે. ગિરનાર સિંહદર્શન માટે આવતા પ્રવાસીઓ એશિયાના સૌથી લાંબા રોપ-વેનો નજારો જોવા ઉત્સુક છે. 2.13 કિલોમીટર લાંબી આ રોપ-વે ગુજરાતનું આગવું નજરાણું બની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:31 pm, Sat, 24 October 20

Next Article