જૂનાગઢનું મેંદરડાનું ગઢાળી ગામ બન્યું સંપર્ક વિહોણું. ગામ વચ્ચેનો કોઝવે તણાઈ જતા ગ્રમજનો મુશ્કેલીમાં મુકાયા છે. કોઝવે પુલના 14 ભૂંગળા પૂરના પાણીમાં તણાઈ ગયા હોવાથી ગઢાળી ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. વર્ષોથી બેઠો પુલ લોકો ઉપયોગમાં લેતા હતા. જૂનો પુલ તોડી નવો પુલ બનાવવા માટે ટેન્ડર પણ થયા હતા પણ પુલ ન બની શકતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોએ 24 કલાકમાં રસ્તો ચાલુ કરવા માટે તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો