Gujarati NewsGujaratJetpur farmers take out last procession of groundnut crops damaged by rain rajkot
મગફળીના પાકનું બેસણું! જેતપુરના ખેડૂતોનો અનોખો વિરોધ, મગફળીના પાકની કરી અંતિમ વિધી
અતિવૃષ્ટિથી ખેડૂતોને રાતા પાણીએ રોવા વારો આવ્યો છે, ત્યારે સર્વેના નામે ચાલતા તિકડમ સામે રાજકોટના જેતપુરના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રગટ કર્યો. ખેડૂતોએ ખેતરમાં મરી ગયેલા મગફળીના પાકની અંતિમ વિધી કરી અને મગફળીના પાકનું બેસણું યોજ્યું. ખેડૂતોની ફરિયાદ છે કે, સરકાર સર્વેની વાતો માત્ર કાગળ પર છે અને આજદીન સુધી એકપણ અધિકારી સર્વે માટે ફરક્યો […]
Follow us on
અતિવૃષ્ટિથી ખેડૂતોને રાતા પાણીએ રોવા વારો આવ્યો છે, ત્યારે સર્વેના નામે ચાલતા તિકડમ સામે રાજકોટના જેતપુરના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રગટ કર્યો. ખેડૂતોએ ખેતરમાં મરી ગયેલા મગફળીના પાકની અંતિમ વિધી કરી અને મગફળીના પાકનું બેસણું યોજ્યું. ખેડૂતોની ફરિયાદ છે કે, સરકાર સર્વેની વાતો માત્ર કાગળ પર છે અને આજદીન સુધી એકપણ અધિકારી સર્વે માટે ફરક્યો નથી. સરકાર ખેડૂતોને ભ્રિમિત કરવાનું બંધ કરી અને સીધી સહાય ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવે તેવી માગ કરાઇ. જેતપુર પંથકમાં ભારે વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.