Save Soil Movement: 27 દેશની બાઈક પર યાત્રા કર્યા બાદ સદગુરૂ જગ્ગી વાસુદેવ જામનગરના મહેમાન બનશે, જામસાહેબ સાથે અલગ અલગ મુદ્દાઓ પર કરશે ચર્ચા

રાજવી પરિવારનું પ્રતિનિધિ કરતાં એકતાબા સોઢા સદગુરૂનું સ્વાગત કરશે. ત્યાર બાદ જામનગરનાં (Jamnagar) ધર્મગુરૂઓ, રાજકીય મહાનુભાવો, આર્મી, નેવી, એરફોર્સના પ્રતિનિધિઓ તેઓનું સ્વાગત કરશે.

Save Soil Movement: 27 દેશની બાઈક પર યાત્રા કર્યા બાદ સદગુરૂ જગ્ગી વાસુદેવ જામનગરના મહેમાન બનશે, જામસાહેબ સાથે અલગ અલગ મુદ્દાઓ પર કરશે ચર્ચા
જામનગરમાં સદગુરૂના સ્વાગતની તૈયારી
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 28, 2022 | 8:26 PM

સદગુરૂ જગ્ગી વાસુદેવ (sadguru jaggi vasudev) 27 દેશોની બાઈક પર યાત્રા કરીને આગામી 29 મે રવિવારના રોજ ‘જમીન બચાવો’ (Save Soil) અંગેના ખાસ પ્રોજેકટ સંદર્ભે લોકજાગૃતિ ઝુંબેશ દરમિયાન તેઓ ભારત આવવાના છે.  જામનગરમાં (Jamnagar) આવેલા નવા બેડીબંદર પર ખાસ વહાણમાં જામનગરની ભુમિ પર પધારશે. ઓમાન મસ્કતથી આવતું સદગુરૂનું વહાણ બપોરે 12:30 વાગ્યે નવા બેડીબંદર પહોંચશે, જ્યાં રાજવી પરિવારનું પ્રતિનિધિ કરતાં એકતાબા સોઢા તેઓનું સ્વાગત કરશે. ત્યારબાદ જામનગરના ધર્મગુરૂઓ, રાજકીય મહાનુભાવો, આર્મી, નેવી, એરફોર્સના પ્રતિનિધિઓ તેઓનું સ્વાગત કરશે.

સદગુરૂનું સ્વાગત કચ્છી ઢોલના નાદથી કરવામાં આવશે. ત્યારબાદ સદગુરૂ મીડિયાને સંબોધન કરશે. સદગુરૂ વિભિન્ન સંસ્થાઓના પ્રતિનિધિઓને મળી I.N.S.વાલસુરા તરફ પ્રસ્થાન કરશે. જ્યાં તેમનું સ્વાગત નેવીના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. નોંધનીય છે કે નવાનગર સ્ટેટની ચાર ગાડીઓનો કાફલા તેમની સાથે ચાલશે.

સદગુરૂ જામનગરના રાજવી જામસાહેબના મહેમાન બનશે

સદગુરૂ જે રાષ્ટ્રનાયક સમાન છે, તેઓને વિદેશનો પ્રવાસ પુરો કરી ભારતમાં પ્રવેશ માટે જામનગરની ભૂમિ પર નેકનામદાર જામસાહેબે આમંત્રણ પાઠવેલ જેનો તેમણે સ્વીકાર કર્યો છે. જામનગરના નવાબંદરની જેટી પર આવી ત્યાંથી I.N.S.વાલસુરાથી સદગુરૂ જામસાહેબને મળવા તેઓના નિવાસ સ્થાન પહોંચશે અને જામસાહેબ સાથે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરશે. રાજવી પરીવારના પ્રતાપ વિલાસ પેલેસમાં કાર્યકમ રહેશે અને ત્યાં સદગુરૂ રાત્રી રોકાણ કરશે. પ્રતાપ વિલાસ પેલેસમાં ખાસ રાજવી પરીવારના મહેમાન સદગુરૂ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સાથે પેલેસને રોશનીથી શણગારવામાં આવ્યો છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

રવિવારે ખાસ કાર્યકમ અંતર્ગત સાંજે 5:30 વાગ્યે ડિ.કે.વી. સર્કલથી સદગુરૂ પેલેસ રોડ તરફ પ્રસ્થાન કરશે, ત્યાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતાપ વિલાસ પેલેસમાં કચ્છી કારીગરોની પ્રદર્શની નિહાળી સદગુરૂ મહાનુભવો વચ્ચે પધારશે. ત્યારબાદ સદગુરૂ લોકોને 45 મિનિટ માટે સંબોધિત કરશે. જામનગરની જનતાને પ્રથમવાર જામસાહેબના આંગણે આ કાર્યક્રમને નિહાળવાનો અવસર મળશે. જામનગરની જનતાને નવાપોર્ટ પર સવારે 11 વાગ્યે તેમજ સાંજે 5 વાગ્યે ડી.કે.વી. સર્કલથી પેલેસ રોડ સુધી સદગુરૂને આવકારવાનો સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો મોકો મળશે.

સદગુરૂએ પહેલા પણ પર્યાવરણને લઈને સામાજીક જાગૃતિ લાવવાના કાર્યક્રમો કર્યા છે

કોઇમ્બુતર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જગ્ગી વાસુદેવ પોતાની દિર્ઘદ્રષ્ટિથી પ્રાકૃતિક મુદ્દાઓ અને સામાજીક મુદ્દાઓને બીડું ઝડપી સમાજના તમામ વર્ગને એકત્રીત કરવાનું એક ઉદાહરણ પુરૂં પાડે છે. 2017માં સદગુરૂ જગ્ગી વાસુદેવની ‘રેલી ફોર રીવર્સ’ નામના ઝુંબેશમાં 16 કરોડ લોકો જોડાયેલ હતા. આ ઝુંબેશ અંતગર્ત 1 લાખ 25 હજાર ખેડૂતોને સાથે રાખીને 242 કરોડ વૃક્ષનું આરોપણ કરવાનું ભવ્ય સંકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો.

હાલ ચાલી રહી છે સેવ સોઈલની ઝુંબેશ

ગત 21 માર્ચ 2022થી સદગુરૂ જગ્ગી વાસુદેવે ‘SAVE SOIL’ નામની ઝુંબેશ ઉપાડી છે. વિશ્વના ભૂ-વૈજ્ઞાનિકોએ તથા યુ.એન. એજન્સીસ દ્વારા વિશ્વભરના દેશોમાં સંશોધન કરતા તે તારણ કાઢયું કે માટીની ફળદ્રુપતા દિવસેને દિવસે ઘટી રહી છે. 2045 સુધી વિશ્વભરમાં અન્નના ઉત્પાદનમાં 40%થી 50%નો ઘટાડો આવશે. ખાદ્યપદાર્થની અછતના કારણે વિશ્વભરમાં આંતરીક યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતી ઊભી થાય તેવું અનુમાન છે. વિશ્વને આવા કપરા સમયથી બચાવવા જગ્ગી વાસુદેવે ‘SAVE SOIL’ અભિયાન હાથ ધર્યુ છે. તેના અંતગર્ત સદગુરૂ જગ્ગી વાસુદેવ વિશ્વના 27 દેશોમાં 30 હજાર કીલોમીટર બાઇક ચલાવી તેનો પ્રચાર કરી રહ્યા છે.

જામનગરના જામ સાહેબનો અનોખો પ્રકૃતિપ્રેમ

નવાનગરના રાજવી નેકનામદાર  જામસાહેબના પ્રકૃતિપ્રેમ વિશે આપણે સૌ જાણીએ છીએ. સર પીટરસ્કોટ નેચર્સ પાર્કમાં પશુ-પક્ષીઓનો વર્ષોથી વસવાટ તથા તેમની માવજત જામસાહેબની સંવેદનશીલતાનું પ્રતિક છે. બરડો જેવો ડુંગર જ્યારે જામસાહેબનું આંગણું હોય ત્યારે બરડા ડુંગર પ્રત્યેના પ્રેમ અને પ્રાકૃતિક જતન વિશે જામનગરની જનતા અચુક જાણે છે. જામસાહેબ અને સદગુરૂની પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલ જોડતી કડી જે નોંધપાત્ર છે.

જામનગરના ઈતિહાસ તરફ નજર કરીએ તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરેલ હતું, ત્યારે પોલેન્ડના 200 શરણાર્થીઓ દેશ-દેશ ભટકતા હતા. ત્યારે દરેક દેશ તેઓની ખોરાક અને દવા દારૂની મદદ કરવા તૈયાર હતા, પરંતુ કોઇપણ દેશ તેઓને શરણ આપવા તૈયાર ન હતા. તે સમયે જામસાહેબ દિગ્વીજયસિંહજીથી પોલેન્ડના નાગરીકોની પીડા જોઈ ન શક્યા ત્યારે તેઓ ઈમ્પરીયલ વોલ કેબીનેટના સભ્ય પણ હતા. તેઓએ જામનગરના બંદરમાં Polish નાગરીકોનું સ્વાગત કરી માત્ર શરણ જ નહીં પણ તેઓના ભણતર અને વિકાસને પણ ખુબ જ મહત્વ આપ્યું હતું. આવો સોનેરી ઈતિહાસ ધરાવતા જામસાહેબના નામની શપથ આજે પણ પોલેન્ડના સાંસદમાં લેવાય છે.

જામનગર બંદર એ એક કાર્ગોપોર્ટ છે, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન Polish બાળકોને આવકારવા એ પહેલો સિવિલિયન કિસ્સો હતો તે નેકનામદાર  જામસાહેબ દિગ્વિજયસિંહજીના આમંત્રણથી શક્ય બન્યું હતું. આજે સદગુરૂને પાઠવેલ આમંત્રણથી ઈતિહાસનું ફરી પુનરાવર્તન થશે કે રાજવી પરિવાર દ્વારા ફરી એકવખત જામનગર બંદર પર સ્પેશ્યિલ પરમિશનથી જામસાહેબના મહેમાન સદગુરૂનું આગમન થશે.

આ કાર્યક્રમનું નેતૃત્વ જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા કરશે. એકતાબા સોઢા પોતે જામસાહેબની જેમ પ્રકૃતિ પ્રત્યે ખુબ જ સંવેદનશીલ છે. ‘SAVE SOIL’ કેમ્પેઈન અંતગર્ત તેઓએ જામનગરમાં પાંચ હજાર વૃક્ષો આરોપણ કરવાનું સંકલ્પ લીધેલ છે. એકતાબા સોઢાની આગેવાની હેઠળ કાર્યક્રમને સફળ બનાવવાની યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. જામનગરમાં સદગુરૂ મહારાજનો કાર્યકમ ખુબ જ ટુંકા સમયનો હોવાનુ જણાવાયુ છે. જે કાર્યકમ માટે છેલ્લા કેટલાય દિવસોથી વિવિધ તૈયારીઓ ચાલી રહી છે.

સદગુરૂ મહારાજને જામનગર આવવા માટેની મંજુરી પ્રક્રિયાથી જામનગરના કાર્યકમ અંગે દરેક નાની-મોટી બાબતોની ખાસ કાળજી સાથે આયોજન એકતાબા સોઢા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ ભારતીય સંસ્કૃતિના પોશાક, સંગીત સાથે ખાસ કલાકારો સાથે નૃત્યુ-કલા રજુ કરવામાં આવશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">