AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: રંગમતી, નાગમતિ નદી પર રિવરફ્રન્ટ બનાવવાની યોજના 7 વર્ષથી માત્ર કાગળ પર, જાણો વિકાસને ક્યા ગ્રહણ લાગ્યુ ?

જામનગર (Jamnagar) શહેરની નદીના કાંઠે એક એનો પ્રોજેક્ટ આકાર લેવાનો હતો, જેના કારણે હાલના દિવસોમાં અત્યંત રમણીય દ્રશ્યો જોવા મળી શક્યા હોત. કેમકે જામનગર મહાનગર પાલિકાએ (JMC) શહેરમાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસવવા માટે ખાસ આયોજન કર્યું હતું.

Jamnagar: રંગમતી, નાગમતિ નદી પર રિવરફ્રન્ટ બનાવવાની યોજના 7 વર્ષથી માત્ર કાગળ પર, જાણો વિકાસને ક્યા ગ્રહણ લાગ્યુ ?
JMC (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 9:43 AM
Share

જામનગર (Jamnagar) મહાનગર પાલિકાએ (corporation) એક વિશેષ યોજના તૈયાર કરી હતી. જેનાથી જામનગર શહેરને નવી ઓળખ મળી હોત. પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થયો હોત. પરંતુ એ બધું જ સાત વર્ષ બાદ પણ આ યોજના કાગળ પર જ રહી ગઇ છે. સાત વર્ષ સુધી આ યોજના માટે ગ્રાન્ટ ન મળતા હવે આ પ્રોજેક્ટનું કોઇ ભવિષ્ય હોય તેવુ લાગી નથી રહ્યુ.

જામનગર શહેરની નદીના કાંઠે એક એનો પ્રોજેક્ટ આકાર લેવાનો હતો, જેના કારણે હાલના દિવસોમાં અત્યંત રમણીય દ્રશ્યો જોવા મળી શક્યા હોત. કેમ કે જામનગર મહાનગર પાલિકાએ શહેરને નવુ નજરાણું આપવા માટે તેમજ એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસવવા માટે ખાસ આયોજન કર્યું હતું. 2014માં શહેરમાં રંગમતી, નાગમતિ નદીના કાંઠે રિવરફ્રન્ટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યુ. જેને માટે અંદાજે 500 કરોડથી વધુના પ્રોજકેટ તૈયાર કરાયો. પરંતુ અંદાજે સાત વર્ષ બાદ પણ આ યોજના માત્ર કાગળ પર રહી છે. વિપક્ષે આ યોજનાને આવકારીને શહેરને નવું નજરાણુ આપવાની યોજના ઝડપથી અમલી કરવાની માગ કરી છે.

જામનગર શહેરના રંગમતિ-નાગમતિ નદીના કાંઠે રીવરફન્ટ તૈયાર કરવાનુ આયોજન 2014માં થયું હતું. જેને માટે કન્સલ્ટન્ટ એજન્સીએ રિપોર્ટ પણ તૈયાર કર્યો છે, પરંતુ રાજય સરકારમાંથી આ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ જ નહીં આવતા પ્રોજેકટ અધ્ધરતાલ રહી ગયો છે. જામનગર પાલિકા ધૂમકેતુની વાર્તામાં આવતાં ‘કોચમેન અલી ડોસા’ની જેમ સરકારની ગ્રાન્ટની રાહમાં બેસી રહી છે.

જામનગર શહેરને નવું નજરાણુ આપવા માટે આયોજન કરવામાં આવ્યું. એ મુજબનો પ્રોજેકટ તૈયાર કરાયો પરંતુ ગ્રાન્ટની વાત આવી અને અટકી ગઈ. સરકાર વિકાસની વાતો ગાઈ વગાડીને કરતી હોય ત્યારે રિવરફ્રન્ટ અને પ્રવાસન સ્થળ વિકસાવવાનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગ્રાન્ટના અભાવે અટકી ગયો. અહીં તો પાલિકા, જામનગરવાસીઓ અને વિપક્ષ પણ ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ અમલમાં આવે તો જામનગરને એક નવું નજરાણું અને ઓળખ મળે. ત્યારે આશા રાખીએ કે સરકાર તેમની વાત સાંભળે.

આ પણ વાંચો-Junagadh: કેશોદ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરૂ, અમદાવાદથી ત્રણ નવી ફ્લાઈટ શરૂ કરવાની ઉડ્ડયન પ્રધાનની જાહેરાત

આ પણ વાંચો- Devbhumi Dwarka: હનુમાન જયંતી પર ઓખાના યુવાને દર્શાવી અનોખી આસ્થા, દરિયામાં તરીને હનુમાનદાંડીની યાત્રા પૂર્ણ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">