Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: રંગમતી, નાગમતિ નદી પર રિવરફ્રન્ટ બનાવવાની યોજના 7 વર્ષથી માત્ર કાગળ પર, જાણો વિકાસને ક્યા ગ્રહણ લાગ્યુ ?

જામનગર (Jamnagar) શહેરની નદીના કાંઠે એક એનો પ્રોજેક્ટ આકાર લેવાનો હતો, જેના કારણે હાલના દિવસોમાં અત્યંત રમણીય દ્રશ્યો જોવા મળી શક્યા હોત. કેમકે જામનગર મહાનગર પાલિકાએ (JMC) શહેરમાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસવવા માટે ખાસ આયોજન કર્યું હતું.

Jamnagar: રંગમતી, નાગમતિ નદી પર રિવરફ્રન્ટ બનાવવાની યોજના 7 વર્ષથી માત્ર કાગળ પર, જાણો વિકાસને ક્યા ગ્રહણ લાગ્યુ ?
JMC (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 9:43 AM

જામનગર (Jamnagar) મહાનગર પાલિકાએ (corporation) એક વિશેષ યોજના તૈયાર કરી હતી. જેનાથી જામનગર શહેરને નવી ઓળખ મળી હોત. પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થયો હોત. પરંતુ એ બધું જ સાત વર્ષ બાદ પણ આ યોજના કાગળ પર જ રહી ગઇ છે. સાત વર્ષ સુધી આ યોજના માટે ગ્રાન્ટ ન મળતા હવે આ પ્રોજેક્ટનું કોઇ ભવિષ્ય હોય તેવુ લાગી નથી રહ્યુ.

જામનગર શહેરની નદીના કાંઠે એક એનો પ્રોજેક્ટ આકાર લેવાનો હતો, જેના કારણે હાલના દિવસોમાં અત્યંત રમણીય દ્રશ્યો જોવા મળી શક્યા હોત. કેમ કે જામનગર મહાનગર પાલિકાએ શહેરને નવુ નજરાણું આપવા માટે તેમજ એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસવવા માટે ખાસ આયોજન કર્યું હતું. 2014માં શહેરમાં રંગમતી, નાગમતિ નદીના કાંઠે રિવરફ્રન્ટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યુ. જેને માટે અંદાજે 500 કરોડથી વધુના પ્રોજકેટ તૈયાર કરાયો. પરંતુ અંદાજે સાત વર્ષ બાદ પણ આ યોજના માત્ર કાગળ પર રહી છે. વિપક્ષે આ યોજનાને આવકારીને શહેરને નવું નજરાણુ આપવાની યોજના ઝડપથી અમલી કરવાની માગ કરી છે.

જામનગર શહેરના રંગમતિ-નાગમતિ નદીના કાંઠે રીવરફન્ટ તૈયાર કરવાનુ આયોજન 2014માં થયું હતું. જેને માટે કન્સલ્ટન્ટ એજન્સીએ રિપોર્ટ પણ તૈયાર કર્યો છે, પરંતુ રાજય સરકારમાંથી આ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ જ નહીં આવતા પ્રોજેકટ અધ્ધરતાલ રહી ગયો છે. જામનગર પાલિકા ધૂમકેતુની વાર્તામાં આવતાં ‘કોચમેન અલી ડોસા’ની જેમ સરકારની ગ્રાન્ટની રાહમાં બેસી રહી છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

જામનગર શહેરને નવું નજરાણુ આપવા માટે આયોજન કરવામાં આવ્યું. એ મુજબનો પ્રોજેકટ તૈયાર કરાયો પરંતુ ગ્રાન્ટની વાત આવી અને અટકી ગઈ. સરકાર વિકાસની વાતો ગાઈ વગાડીને કરતી હોય ત્યારે રિવરફ્રન્ટ અને પ્રવાસન સ્થળ વિકસાવવાનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગ્રાન્ટના અભાવે અટકી ગયો. અહીં તો પાલિકા, જામનગરવાસીઓ અને વિપક્ષ પણ ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ અમલમાં આવે તો જામનગરને એક નવું નજરાણું અને ઓળખ મળે. ત્યારે આશા રાખીએ કે સરકાર તેમની વાત સાંભળે.

આ પણ વાંચો-Junagadh: કેશોદ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરૂ, અમદાવાદથી ત્રણ નવી ફ્લાઈટ શરૂ કરવાની ઉડ્ડયન પ્રધાનની જાહેરાત

આ પણ વાંચો- Devbhumi Dwarka: હનુમાન જયંતી પર ઓખાના યુવાને દર્શાવી અનોખી આસ્થા, દરિયામાં તરીને હનુમાનદાંડીની યાત્રા પૂર્ણ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">