AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: શહેરમાં પાણીની તંગી નહીં સર્જાય, ડેમમાં બે માસ સુધી ચાલે તેટલું પાણી

જામનગર શહેરના પાણી પુરી પાડતા ડેમ હજુ બે માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સસોઈ ડેમમાં 8 ફુટ, રણજીતસાગર ડેમમાં 18 ફુટ, ઉંડ1 ડેમમાં 7 ફુટ સુધીની પાણીની સપાટી છે.

Jamnagar: શહેરમાં પાણીની તંગી નહીં સર્જાય, ડેમમાં બે માસ સુધી ચાલે તેટલું પાણી
ફાઇલ
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 06, 2021 | 5:05 PM
Share

Jamnagar:   રાજયભરમાં સામાન્ય રીતે દર વર્ષે જુન માસમાં વરસાદનુ આગમન થતુ હોય છે. પરંતુ આ વખતે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી રાજયમાં અનેક વિસ્તારોમાં વરસાદના કોઈ એંધાણ દેખાયા નથી. જુનમાં છુટોછવાયો વાવણીલાયક વરસાદ થયો. પરંતુ હાલ મોટાના ડેમમાં નવા નીરની આવક થઈ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ હજું વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

જોકે સારી વાત એ છેકે  ગત વર્ષે થયેલા સારા વરસાદના કારણે મોટાભાગના ડમ ઓવરફુલો થયો હતો. જામનગર જીલ્લાના ડેમમાં હજુ પણ 25 થી 30 ટકા પાણીથી ભરાયેલા છે. જેના કારણ જો વરસાદ બે માસ સુધી ના આવે તો પણ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે નહી.

Water enough to last for two months in the dam.

Water enough to last for two months in the dam.

જામનગર શહેરના પાણી પુરી પાડતા ડેમ હજુ બે માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સસોઈ ડેમમાં 8 ફુટ, રણજીતસાગર ડેમમાં 18 ફુટ, ઉંડ1 ડેમમાં 7 ફુટ સુધીની પાણીની સપાટી છે. આ ઉપરાંત નર્મદાની લાઈનથી નિયમિત પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Water enough to last for two months in the dam.

Water enough to last for two months in the dam.

હાલ જીલ્લાના 417 ગામ પૈકી 416 ગામમાં પાણી પાઈપલાઈન મારફત વિતરણ કરવામાં આવે છે. માત્ર જીલ્લા એક જ ગામ જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે. તેમજ 8 જેટલા પરા વિસ્તારમાં ટેન્કરો દ્વારા દૈનિક 31 ફેરા પાણી આપવામાં આવે છે.

જામનગર શહેરને દૈનિક 110 એમએલડી પાણીની જરૂરીયાત છે. જે રણજીતસાગર, ઉંડ,આજી-4,સસોઈ ડેમ પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ અન્ય પાણીનો જથ્થો નર્મદાનુ પાણી આપવમાં આવે છે. જો વરસાદ ઓગષ્ટ સુધી જામનગરમાં ના આવે તો પણ જીલ્લાભરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય રહેશે તેવુ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

હાલ તો વરસાદને લઇને સમગ્ર રાજ્યમાં આતુરતાથી રાહ જોવાઇ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતિત છે. ત્યારે જો વરસાદ ખેંચાશે તો આગામી દિવસોમાં રાજયના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થાય તેવી પણ સંભાવના દેખાઇ રહી છે. ત્યારે હાલ તો સૌ-કોઇ મેઘરાજાના જલ્દી પધરામણા થાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

Follow Us
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
g clip-path="url(#clip0_868_265)">