Jamnagar: શહેરમાં પાણીની તંગી નહીં સર્જાય, ડેમમાં બે માસ સુધી ચાલે તેટલું પાણી

જામનગર શહેરના પાણી પુરી પાડતા ડેમ હજુ બે માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સસોઈ ડેમમાં 8 ફુટ, રણજીતસાગર ડેમમાં 18 ફુટ, ઉંડ1 ડેમમાં 7 ફુટ સુધીની પાણીની સપાટી છે.

Jamnagar: શહેરમાં પાણીની તંગી નહીં સર્જાય, ડેમમાં બે માસ સુધી ચાલે તેટલું પાણી
ફાઇલ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 06, 2021 | 5:05 PM

Jamnagar:   રાજયભરમાં સામાન્ય રીતે દર વર્ષે જુન માસમાં વરસાદનુ આગમન થતુ હોય છે. પરંતુ આ વખતે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી રાજયમાં અનેક વિસ્તારોમાં વરસાદના કોઈ એંધાણ દેખાયા નથી. જુનમાં છુટોછવાયો વાવણીલાયક વરસાદ થયો. પરંતુ હાલ મોટાના ડેમમાં નવા નીરની આવક થઈ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ હજું વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

જોકે સારી વાત એ છેકે  ગત વર્ષે થયેલા સારા વરસાદના કારણે મોટાભાગના ડમ ઓવરફુલો થયો હતો. જામનગર જીલ્લાના ડેમમાં હજુ પણ 25 થી 30 ટકા પાણીથી ભરાયેલા છે. જેના કારણ જો વરસાદ બે માસ સુધી ના આવે તો પણ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે નહી.

Water enough to last for two months in the dam.

Water enough to last for two months in the dam.

જામનગર શહેરના પાણી પુરી પાડતા ડેમ હજુ બે માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સસોઈ ડેમમાં 8 ફુટ, રણજીતસાગર ડેમમાં 18 ફુટ, ઉંડ1 ડેમમાં 7 ફુટ સુધીની પાણીની સપાટી છે. આ ઉપરાંત નર્મદાની લાઈનથી નિયમિત પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
Water enough to last for two months in the dam.

Water enough to last for two months in the dam.

હાલ જીલ્લાના 417 ગામ પૈકી 416 ગામમાં પાણી પાઈપલાઈન મારફત વિતરણ કરવામાં આવે છે. માત્ર જીલ્લા એક જ ગામ જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે. તેમજ 8 જેટલા પરા વિસ્તારમાં ટેન્કરો દ્વારા દૈનિક 31 ફેરા પાણી આપવામાં આવે છે.

જામનગર શહેરને દૈનિક 110 એમએલડી પાણીની જરૂરીયાત છે. જે રણજીતસાગર, ઉંડ,આજી-4,સસોઈ ડેમ પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ અન્ય પાણીનો જથ્થો નર્મદાનુ પાણી આપવમાં આવે છે. જો વરસાદ ઓગષ્ટ સુધી જામનગરમાં ના આવે તો પણ જીલ્લાભરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય રહેશે તેવુ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

હાલ તો વરસાદને લઇને સમગ્ર રાજ્યમાં આતુરતાથી રાહ જોવાઇ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતિત છે. ત્યારે જો વરસાદ ખેંચાશે તો આગામી દિવસોમાં રાજયના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થાય તેવી પણ સંભાવના દેખાઇ રહી છે. ત્યારે હાલ તો સૌ-કોઇ મેઘરાજાના જલ્દી પધરામણા થાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">