Jamanagar: નુરી ચોકડી નજીક બેઠા પુલ ઉપર ભુવો પડયો, ઉપયોગ બંધ કરાતા લોકોને હાલાકી

હાપા નજીકના બેઠા પૂલ પર મોટો ભૂવો પડવાના કારણે દરબારગઢથી હાપા તરફ જતા માર્ગ પર બંને તરફના વિસ્તારના 20 હજાર થી 25 હજાર લોકોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે નહિતર આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી વિચારવામાં આવી છે.

Jamanagar: નુરી ચોકડી નજીક બેઠા પુલ ઉપર ભુવો પડયો, ઉપયોગ બંધ કરાતા લોકોને હાલાકી
Jamnagar Bridge Sinkhole
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 04, 2023 | 4:41 PM

Jamnagar : જામનગર શહેરના નુરી ચોકડી નજીક બેઠા પુલ(Bridge) ઉપર આજે મોટો ભુવો પડ્યો છે. આ અંગે જામનગર મહાનગર પાલિકા વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફી દ્વારા બે મહિના અગાઉ જ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ બેઠા પુલ પર મોટો ભુવો પડયો છે. જેના પગલે હજારો લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

જેમાં જામનગર શહેરના કાલાવડ-નાકા તરફથી હાપા માર્કેટીંગ યાર્ડ તરફ જવાના માર્ગ પર આવેલા બેઠા પુલ પર વચ્ચે મોટુ ગાબડુ પડયુ. પુલની વચ્ચે મોટો ખાડો પડતા પુલ વચ્ચેના ભાગે ટુટી પડયો છે. મંગળવારે સવારે મોટો ખાડો પડતા પુલનો ઉપયોગ તંત્ર દ્રારા બંધ કરવામાં આવ્યો છે.

આ પુલ પર કામચલાઉ કામગીરી કરીને હાલ વહેલી તકે પુન કાર્યરત કરવાની માંગ છે. જે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. પુલ પર મોટા ખાડા પડવાનુ અને ટુકવાના કારણ અંગે તપાસ કરાશે. આસપાસની સોસાયટીના તેમજ યાર્ડમાં જવાનો મુખ્ય માર્ગ હોવાથી દૈનિક હજારો લોકો અને વાહનોની અવર-જવર પુલ પરથી થતી હોય છે. હાલ પુલનો ઉપયોગ બંધ કરાતા લોકોને અંદાજે 3 કિમી ફરીને જવાની ફરજ પડી છે.

આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર

પુલનો જર્જરીત ભાગ છે તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી

રાજાશાહી વખતનો વર્ષો જુનો પુલ હોય, હાલ વરસાદી પાણી નદી પર વહેણથી વહેતા હોય, ત્યારે પુલના એક ભાગને ભારે નુકશાન થવાથી વચ્ચે મોટુ ગાબડુ પડયુ છે. જેથી પુલના બંન્ને તરફ દોરડા બાંધીને આ માર્ગ હાલ બંધ કરવામાં આવ્યો છે. બનાવની જાણ સ્થાનિકો કરતા વિસ્તારના કોર્પોરેટર, આગેવાન અને મહાનગર પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને બાદ પુલનો જર્જરીત ભાગ છે તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી.

વિપક્ષના પૂર્વ નેતાએ બે મહિના અગાઉ રજૂઆત કરી છતા તંત્ર જાગ્યુ નહીં

વિપક્ષના નગરસેવકોની રજૂઆત માટે આખ ખાડા કાન કરીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને હંમેશા છાવરતું હોવાનો આક્ષેપ પુર્વે વિપક્ષના નેતા દ્રારા કરવામાં આવ્યો. આ અંગે મનપાના તંત્રને બે મહિના અગાઉ જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાય ને ખાસ કરીને હવે જ્યારે ચોમાસાનો સમય આવ્યો તેમ છતાં પણ આ તંત્ર જાગતું નથી.

જ્યારે નુરી ચોકડી નજીકના બેઠા પૂલ પર સફાઈ કરવા અંગે પણ જાણ કરવામાં આવી હતી, તેમ છતાં આ પુલની બંને બાજુ કોઈ પ્રકારની સફાઈ પણ મનપા દ્વારા કરવામાં આવી નથી અને જેના કારણે પુલની બંને તરફ ભારે કચરો ભરાઈ જતા ચોમાસાના સમયમાં સ્થાનિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

હાપા નજીકના બેઠા પૂલ પર મોટો ભૂવો પડવાના કારણે દરબારગઢથી હાપા તરફ જતા માર્ગ પર બંને તરફના વિસ્તારના 20 હજાર થી 25 હજાર લોકોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે નહિતર આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી વિચારવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">