Jamnagar : ભુમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોકનો કેસ દાખલ, 30 દિવસમાં હાજર થવા આદેશ

|

Jul 19, 2021 | 5:33 PM

સ્પેશિયલ કોર્ટે 30 દિવસથી ફરાર આરોપી જયેશ પટેલ, રમેશ અભંગી અને સુનિલ ચાંગાણીને હાજર થવા આદેશ કર્યો હતો. તેમજ જો 30 દિવસની અંદર હાજર નહીં થાય તો ભાગેડુ જાહેર કરાશે.

જામનગર(Jamnagar ) ના ભુમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોક(GUJCTOC) નો કેસ દાખલ કરવામાં આવ્યો છે . જેમાં સ્પેશિયલ કોર્ટે 30 દિવસથી ફરાર આરોપી જયેશ પટેલ, રમેશ અભંગી અને સુનિલ ચાંગાણીને હાજર થવા આદેશ કર્યો હતો. તેમજ જો 30 દિવસની અંદર હાજર નહીં થાય તો ભાગેડુ જાહેર કરાશે. આ ઉપરાંત જયેશ પટેલની મિલ્કતો ટાંચમાં લેવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ જયેશ પટેલ હાજર નહીં થાય તો કોર્ટના આદેશ પ્રમાણે ભાગેડુ જાહેર કરીને મિલ્કત ટાંચમાં લેવામાં આવશે.

આ પણ વાંચો : રાજસ્થાનનાં શ્રીયંશે શરૂ કરેલો જુના જુતાનો કારોબાર આજે છે ત્રણ કરોડને પાર, કઈ રીતે મળી સફળતા જાણો આ અહેવાલમાં

આ પણ વાંચો : તારક મહેતા સિરિયલની બબીતા, જેઠાલાલની નહીં પરંતુ આ દિગ્ગજ કોમેડિયનની છે મોટી ફેન: વિડીયો કર્યો શેર

Published On - 5:18 pm, Mon, 19 July 21

Next Video