Jamnagar: કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રડિશનલ મેડિસિનની સ્થાપનાને મંજૂરી આપી

|

Mar 10, 2022 | 9:58 AM

WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.

Jamnagar: કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રડિશનલ મેડિસિનની સ્થાપનાને મંજૂરી આપી
પરંપરાગત ભારતીય ચિકિસ્સા પધ્ધતિને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થશે

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરીને ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબેરેયસસે ભારતના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 13મી નવેમ્બર, 2020ના રોજ 5મા આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં WHO GCTMની સ્થાપનાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને WHOની આ પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે, પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ કેન્દ્રની સ્થાપના માટે પ્રવૃત્તિઓના સંકલન, અમલ અને દેખરેખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ (JTF)ની રચના કરવામાં આવી છે. JTFમાં ભારત સરકાર, ભારતનું કાયમી મિશન, જીનીવા અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ પરિપેક્ષ્યમાં, ITRA, જામનગર, ગુજરાત ખાતે એક વચગાળાનાં કાર્યાલયની સ્થાપના કરવામાં આવી રહી છે જેથી ઓળખાયેલી તકનીકી પ્રવૃત્તિઓ અને સંપૂર્ણ રીતે કાર્યરત WHO GCTMનું આયોજન કરવામાં આવે.

પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થશે.

પરંપરાગત દવાએ આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલિનો મુખ્ય આધારસ્તંભ છે અને સારા સ્વાસ્થય અને સુખાકારી જાળવવામાં નિર્ણાયક ભુમિકા ભજવે છે. વિશ્વ 2030માં વિકાસ લક્ષ્યો માટે દસ વિષયનાં સીમાચિહ્નની નજીક છે ત્યારે સલામત અને અસરકારક પરંપરાગત દવા એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે કે તમામ લોકોને ગુણવત્તાયુક્ત આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ અને સલામત, અસરકારક અને સસ્તી આવશ્યક દવાઓ ઉપલબ્ધ છે. ડબ્લયુએચઓ-જીસીટીએમ સંબંધિત દેશોમાં પરંપરાગત દવાને નિયમન, એકીકૃત અને વધુ સ્થાન આપવામાં દેશો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારોને ઓળખશે.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીનના લાભો:

1. સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન

2. પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે

3. પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવા.

4. ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મૂલયાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા વિકસાવવા. હાલની TM ડેટા બેંકો, વર્ચ્યુઅલ લાઇબ્રેરીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સહયોગથી WHO TM ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની કલ્પના.

v. ઉદેશ્યોની સુસંગતતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા અને કેમ્પસમાં તાલીમ કાર્યક્રમો યોજવા અથવા વેબ-આધારિત અને WHO એકેડેમી અને અન્ય વ્યૂહાત્મક ભાગીદારો સાથે ભાગીદારી દ્વારા.

વચગાળાનાં કાર્યાલયનો હેતુ પુરાવા અને નવીનતાની પેઢી, પરંપરાગત દવા માટે આર્ટિફિશ્લ ઇન્ટેલીજન્સી આધારિત ઉકેલો, કોક્રેન સાથે મળીને પદ્ધતિસરની સમીક્ષાઓ, WHO GPW 13 (કાર્યનો તેરમો જનરલ પ્રોગ્રામ 2019-2023) સમગ્ર પરંપરાગત દવાઓના ડેટા પર વૈશ્વિક સર્વેક્ષણ અને WHO GCTMના મુખ્ય કાર્યાલયની સ્થાપના માટે વ્યાપાર કામગીરી અને વહીવટી પ્રક્રિયાઓ, સાસ્વત વિકાસ અને વ્યવસ્થાપન તેમજ ક્રોસ કટિંગ કાર્યો પર આશાવાદી અભિગમ સાથે વિકાસ લક્ષ્યાંકો, પરંપરાગત દવા સામાજિક-સાંસ્કૃતિક અને જૈવવિવિધતાનો વારસો વ્યાપકપણે વિતરિત કરવાનો છે.

WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.

આયુષ મંત્રાલયે WHO સાથે આયુવેદ અને યુનાની પ્રણાલિની તાલીમ અને પ્રેક્ટિસ પર બેન્ચમાર્ક દસ્તાવેજો વિકસાવવા, રોગોનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ-11ના પરંપરાગત દવા પ્રકરણમાં બીજું મોડયુલ રજૂ કરવા, એમ-યોગા જેવી એપ્લિકેશનો વિકસાવવા સહિત ઘણા મોરચે સહયોગ કર્યો છે અને ઈન્ટરનેશનલ ફાર્માકોપિયા ઑફ હર્બલ મેડિસિન (આઈપીએચએમ) અને અન્ય સંશોધન અભ્યાસો વગેરેના કામને સમર્થન આપ્યું છે.

WHO સાથે મળીને આગામી WHO- GCTM અને અન્દ્ય વિવિધ પહેલો ભારતને સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાને સ્થાન આપવામાં મદદ કરશે.

ITRA, જામનગરના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. અનુપ ઠાકર દ્વારા આ બાબતે ખુશાલી વ્યક્ત કરતા રાષ્ટ્રના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરાયો છે અને ભવિષ્યમાં આ કેન્દ્ર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર એક નવું સિમાચિન્હ અંકિત કરશે તેવો આશાવાદ વ્યક્ત કયો છે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ પ્રથમ અને એક માત્ર વૈશ્વિક દુરનુ કેન્દ્ર જામનગરમા કાર્યરત થશે. ફરી વિશ્વસ્તરની સંસ્થા મળતા ગુજરાત અને જામનગરને ગૌરવભૈરનુ સ્થાન અને ઓળખ મળી છે.

આ પણ વાંચો-

Ahmedabadની એક સંસ્થા સાથે ધરમ કરતા ધાડ પડી, બી.જે. મેડિકલ કોલેજ સામે લાખો રુપિયા ચુકવ્યાનો લગાવ્યો આરોપ

આ પણ વાંચો-

રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા, છેલ્લા 2 વર્ષમાં માત્ર 1,278 યુવાનોને સરકારી નોકરી મળી

Next Article