જામનગરના ધ્રોલમાં બનેલી ફાયરિંગની ઘટનામાં આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનાની ચાલી રહેલી તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં દિવ્યરાજસિંહ નામના યુવાનની હત્યા કરાઇ હતી અને તેના માટે રાજસ્થાનના શાર્પશૂટરોને હત્યાની સોપારી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે
ગઇકાલે જામનગરના ધ્રોલમાં ફાયરિંગ કરીને દિવ્યરાજસિંહ નામના યુવાનની હત્યા કરી દેવાઇ હતી. જોકે ગણતરીના કલાકોમાં મોરબી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાની ઘટનામાં કુલ 4 આરોપીઓની સંડોવણી હતી. હત્યાની ઘટનામાં ટોલનાકાના કોન્ટ્રાક્ટમાં થયેલી બોલાચાલી અને મારામારીનો બદલો લેવા માટે અનિરૂદ્ધસિંહ નામના શખ્સે દિવ્યરાજની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વપૂર્ણ છે કે દિવ્યરાજસિંહની હત્યા માટે રાજસ્થાનના શાર્પશૂટર સોનુ અને બબલુની મદદ લેવામાં આવી હતી. આ બંને આરોપીઓ હત્યાને અંજામ આપીને અધરસ્તે ઉતરીને ભાગી ગયા હતા. જેમને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે ગુનાના કામમાં વાપરવામાં આવેલા હથિયારો ક્યાંથી લવાયા હતા તેની તપાસ કરી રહી છે. જોકે સપ્લાયર અજીત ઠાકુરને તલવર પોલીસે ઝડપી પાડ્યો છે. નો કબજો મેળવવા માટે એસ.ઓ.જી પોલીસની ટીમ રવાના પણ થઇ ગઇ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 11:49 am, Sat, 7 March 20