અમદાવાદમાં અપહરણની ઘટનામાં હોમગાર્ડના સસ્પેન્ડેડ અધિકારી બ્રિજરાજસિંહ ગોહિલ પર આક્ષેપ

|

Sep 22, 2019 | 9:51 AM

નવરંગપુરામાં સરવૈયા હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જિતેન્દ્ર પટેલે પોતાના અપહરણની ફરિયાદ નોંધાવી છે. જિતેન્દ્રએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો કે, તેના પર એક કોલ આવ્યો હતો અને તેના શેઠ અશ્વિનભાઈ ક્યાં છે તેવુ પૂછ્યું હતું. શેઠ હાજર ન હોવાનું જણાવી તેણે ફોન મુક્યો હતો. જે બાદ ઘર તરફ જતાં સમયે તેનું અપહરણ કરાયું હોવાનો દાવો છે. […]

અમદાવાદમાં અપહરણની ઘટનામાં હોમગાર્ડના સસ્પેન્ડેડ અધિકારી બ્રિજરાજસિંહ ગોહિલ પર આક્ષેપ

Follow us on

નવરંગપુરામાં સરવૈયા હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જિતેન્દ્ર પટેલે પોતાના અપહરણની ફરિયાદ નોંધાવી છે. જિતેન્દ્રએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો કે, તેના પર એક કોલ આવ્યો હતો અને તેના શેઠ અશ્વિનભાઈ ક્યાં છે તેવુ પૂછ્યું હતું. શેઠ હાજર ન હોવાનું જણાવી તેણે ફોન મુક્યો હતો. જે બાદ ઘર તરફ જતાં સમયે તેનું અપહરણ કરાયું હોવાનો દાવો છે. હોમ ગાર્ડના સસ્પેન્ડેડ અધિકારી બ્રિજરાજસિંહ ગોહિલ અને પ્રવીણ સહિત અન્ય લોકો તેને કારમાં સાણંદ લઈ ગયા હતા. કારમાં ધમકી આપી અને મોબાઈલ પણ લઈ લેવાનો આક્ષેપ છે. પરંતુ સમગ્ર મામલો જિતેન્દ્ર સાથે નહીં તેના શેઠ સાથે સંકળાયેલો હોવાની વાત ખુદ જિતેન્દ્રએ કરી છે. જિતેન્દ્રની જુબાની મુજબ તેને કારમાં બેસાડીને કહ્યું કે, તારા શેઠ પાસેથી રૂપિયા લેવાના છે. તારી સાથે કોઈ લેવા-દેવા નથી. આ દરમિયાન બ્રિજરાજસિંહ ગોહિલના પુત્રનો ફોન આવ્યા બાદ જિતેન્દ્રને મુક્ત કરી દેવાયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચોઃ ગુજરાતભરના વાલીઓ અને તંત્ર માટે આ દૃશ્યો ચેતાવણી સમાન, જીવના જોખમે શાળાએ જાય છે બાળકો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જિતેન્દ્રએ આ સમગ્ર ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવી છે. સાથે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જો કોઈને પણ અપહરણની ઘટના વિશે જાણ કરી તો મારી નાખવાની ધમકી મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 9:25 am, Sun, 22 September 19

Next Article