અતિવૃષ્ટિ મામલે સરકારે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, 2.80 લાખ ખેડૂતોને મળશે લાભ
આ નિમિતે વાઘાણીએ જણાવ્યું કે સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો શરૂ થઇ રહ્યો છે. 2500 સેવા સેતુ કાર્યક્રમમાં 56 જેટલી સેવાઓ પુરી પાડવામાં આવશે. 22 ઓક્ટોબરથી 12 જાન્યુઆરી સુધી આ સેવાસુત કાર્યક્રમ યોજાશે તેમ પણ વાઘાણીએ કહ્યું હતું.
અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકસાની બદલ સૌરાષ્ટ્રના 2.82 લાખ ખેડૂતોને સરકાર સહાય કરશે. સરકારે 4 જિલ્લાના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની ઘોષણા કરી છે.546 કરોડ રૂપિયાના પેકેજનો લાભ 4 જિલ્લાના 2.82 લાખ ખેડૂતોને મળશે. આ માટે ખેડૂતો 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.કૃષિ રાહત પેકેજ અંતર્ગત ગોડાઉન માટેની સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
હવે, ગોડાઉન માટે 50 હજારની જગ્યાએ સરકાર 1 લાખ રૂપિયાની સહાય કરશે.જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લાના 682 ગામોને લાભ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય આ પેકેજમાં કરવામાં આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો તેની પણ સર્વેની કામગીરી ચાલી રહી હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું.
ત્યારે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રાહત પેકેજની સહાયની રકમ જમા થઈ શકે છે. આ સહાય માટે SDRFના ધોરણ કરતા વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે.
આ નિમિતે વાઘાણીએ જણાવ્યું કે સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો શરૂ થઇ રહ્યો છે. 2500 સેવા સેતુ કાર્યક્રમમાં 56 જેટલી સેવાઓ પુરી પાડવામાં આવશે. 22 ઓક્ટોબરથી 12 જાન્યુઆરી સુધી આ સેવાસુત કાર્યક્રમ યોજાશે તેમ પણ વાઘાણીએ કહ્યું હતું. ઉત્તરાખંડમાં ગુજરાતી પ્રવાસીઓને કોઈ તકલીફ ન થાય એ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી છે. રોડ રસ્તા મામલે દિવાળી પહેલા તમામ સમારકામ પુરા કરવામાં આવે એ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો : Kidney Transplant: માનવ શરીરમાં સૂવરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ, તબીબોને મળી મોટી સફળતા
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
