ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 520 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના લીધે 24 કલાકમાં 27 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થઈને 348 લોકો ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં નવા 330 કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસનો આંક 17,629 સુધી પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1561 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના લીધે 1253 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 25 હજારને પાર
ગુજરાતમાં કોરોના વાઈરસના નવા કેસની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 520 દર્દી નોંધાયા છે. આ નવા 520 દર્દી સાથે ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 25 હજારને પાર પહોંંચી ગયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 25,148 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી કુલ 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:32 pm, Wed, 17 June 20