ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના વાઈરસના સૌથી વધારે 327 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના નવા 77 કેસ જ્યારે વડોદરામાં નવા 27 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના લીધે 31 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : રાત્રિના કર્ફ્યુના નિયમમાં કેન્દ્ર સરકારે કર્યો ફેરફાર, જાણો ક્યાં વાહનોને આપી મંજૂરી?
રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 5645 થઈ
રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના લીધે સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા 5645 સુધી પહોંચી ગઈ છે. 68 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 55777 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 15501 દર્દીને રજા આપવામાં આવી છે. અત્યારસુધીમાં ગુજરાતમાં કોરોના વાઈરસના લીધે 1416 લોકોના મોત થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:42 pm, Fri, 12 June 20