Gujarati NewsGujaratIn gujarat for the first time in temple of lord swaminarayan 15 kilograms of gold has been sold to this garh
ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં પહેલી વખત આ હરિભક્તે 15 કિલો સોનાના વાઘા ચડાવ્યા છે, અલૌકિક મૂર્તિનો જુઓ VIDEO
196મી નરનારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે મૂળ કચ્છી અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભક્તે ભગવાનને સોનાથી મઢી દીધા કચ્છના ભૂજ સ્વામિનારાયણ મંદિર જાણે સુવર્ણ મંદિર બની ગયું છે. 193મી નરનારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે મૂળ કચ્છી અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભક્તે ભગવાનને સોનાથી મઢી દીધા છે. એક બે ગ્રામ નહીં પણ 15 કિલો સોનાના આભૂષણથી ભગવાનને સુવર્ણીત કરી […]
Follow us on
196મી નરનારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે મૂળ કચ્છી અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભક્તે ભગવાનને સોનાથી મઢી દીધા
કચ્છના ભૂજ સ્વામિનારાયણ મંદિર જાણે સુવર્ણ મંદિર બની ગયું છે. 193મી નરનારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે મૂળ કચ્છી અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ભક્તે ભગવાનને સોનાથી મઢી દીધા છે. એક બે ગ્રામ નહીં પણ 15 કિલો સોનાના આભૂષણથી ભગવાનને સુવર્ણીત કરી દીધા છે. 15 કિલો સોનાના વાઘા ભગવાનની મૂર્તિને આભૂષિત કરી રહ્યા છે.
મહત્વનું છે કે કચ્છમાં રહેતા અનેક પરિવારના સંતાનો વિદેશમાં વસવાટ કરે છે. તેમ છતાં આજે પણ તેમની આસ્થા અને ભક્તિતો હિન્દુસ્તાન પ્રત્યે અપાર છે. એટલા જ માટે આવા કોઈ ભક્તે 15 કિલો સોનાનો ચડાવો ભગવાન સ્વામિનારાયણને કર્યો છે. સોનાના વાઘામાં ભગવાન સ્વામિનારાય જાણે અક્ષરધામમાંથી દર્શન આપી રહ્યા હોઈ તેવી અનુભૂતી તમને કચ્છના સ્વામિનારાયણ મંદિરમાં જ થઈ જશે.