અમદાવાદ શહેરની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ દર્દીઓના મોત નિપજ્યા બાદ પણ તંત્ર નિર્ભર જ રહ્યું છે. આજે પણ અમદાવાદ શહેરમાં 700 હોસ્પિટલ પાસે ફાયર બ્રિગેડનું ફાયર સેફ્ટી અંગે નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ (NOC) નથી.
માત્ર હોસ્પિટલ જ નહી. પરંતુ જ્યા લોકો વધુ એકઠા થાય છે તે 1200 જેટલી રેસ્ટોરન્ટમાંથી 459 રેસ્ટોરન્ટમાં પણ ફાયર એનઓસી નથી. આ સિવાય જો વાત કરીએ ટ્યુશન ક્લાસીસની તો, 2385 ટ્યુશન ક્લાસમાંથી 185 ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી અંગેનુ એનઓસી નથી.
અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને આ વિગતો જાહેર કરી છે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુરે કરેલા સોગંદનામામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શહેરની અનેક હાઈરાઈઝ બિલ્ડગ આવેલી છે. જે પૈકી અનેક હાઈરાઈઝ બિલ્ડગમાં પણ ફાયર સેફ્ટીના સાધનો નથી.
આ પણ વાંચોઃસુરત મનપાનું મિશન : જાન હૈ તો જહાં હૈ, સાંજે 7 પછી મહિલાઓનું ચૌટાબજાર બંધ રાખવા સૂચના
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો