સુરત મનપાનું મિશન : જાન હૈ તો જહાં હૈ, સાંજે 7 પછી મહિલાઓનું ચૌટાબજાર બંધ રાખવા સૂચના
સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જુલાઈ મહિનાની જેમ જ હવે કોરોનાના કેસોમાં દરરોજ વધારો નોંધાઇ રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના 311 કેસો સામે આવ્યા છે. આ સાથે જ મનપાએ કોરોનાના હોટ સ્પોટને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે, જેમાં મહિલાઓ માટે ભરાતા ચૌટાબજારને સાંજે 7 […]
સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જુલાઈ મહિનાની જેમ જ હવે કોરોનાના કેસોમાં દરરોજ વધારો નોંધાઇ રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના 311 કેસો સામે આવ્યા છે. આ સાથે જ મનપાએ કોરોનાના હોટ સ્પોટને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે, જેમાં મહિલાઓ માટે ભરાતા ચૌટાબજારને સાંજે 7 પછી બંધ રાખવાનો આદેશ સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.
શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 28,871 પર પહોંચી ગઈ છે. કુલ મૃતકઆંક પણ 923 થઈ ગયો છે. આ સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ કેસ જિલ્લામાં સામે આવ્યા છે. છેલ્લા 9 જ દિવસમાં સૌથી વધુ 1043 કેસ નોંધાઇ ચુક્યા છે.
સપ્ટેમ્બર મહિનામાં કોરોના કાબુમાં આવે તેવી મનપાની ગણતરી હતી પણ આ ગણિત ખોટું પડ્યું છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનો અમલ કરવામાં લોકોની ઉદાસીનતા તેમજ દરરોજ બહારગામના કારીગરોને કારણે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો નથી. શાકમાર્કેટ, ચૌટાબજાર, એપીએમસી માર્કેટ, ખાણીપીણીની લારીઓ પર ભીડ દેખાઈ રહી છે. ત્યારે હવે પાલિકાએ જાન હૈ તો જહાં હૈ ઝુંબેશ શરૂ કરી છે.
જેના ભાગરૂપે હવે સાંજે 7 પછી ચૌટાબજાર બંધ રાખવા મનપા કમિશનરે આદેશ આપ્યા છે. જો કોઈ વેપારી કે વ્યક્તિ દેખાશે તો તેમની સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો