સાંગાવાડી નદીના ઘોડાપૂરથી ગીરસોમનાથના કોડીનારનું વિઠ્ઠલાપુર ગામ બેટ બન્યુ
સૌરાષ્ટ્રમાં વરસી રહેલા અનરાધાર વરસાદથી અનેક નાની મોટી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનુ વિઠ્ઠલાપુર ગામ, સાંગાવાડી નદીના ઘોડાપુરને કારણે બેટમાં ફેરવાયું છે. કોડીનાર આલીદર રોડ ઉપર આવેલ વિઠ્ઠલાપુર ગામના પાદરેથી પસાર થતી સાંગાવાડી નદીમાં આવેલા ઘોડાપૂરમાં વિઠ્ઠલાપૂરનો વીસ ફુટ ઉચો બ્રિજ પૂરમાં ગરકાવ થઈ ગયો હતો. ઘોડાપૂરને કારણે ગામ વિખુટૂ પડીને […]
Follow us on
સૌરાષ્ટ્રમાં વરસી રહેલા અનરાધાર વરસાદથી અનેક નાની મોટી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનુ વિઠ્ઠલાપુર ગામ, સાંગાવાડી નદીના ઘોડાપુરને કારણે બેટમાં ફેરવાયું છે. કોડીનાર આલીદર રોડ ઉપર આવેલ વિઠ્ઠલાપુર ગામના પાદરેથી પસાર થતી સાંગાવાડી નદીમાં આવેલા ઘોડાપૂરમાં વિઠ્ઠલાપૂરનો વીસ ફુટ ઉચો બ્રિજ પૂરમાં ગરકાવ થઈ ગયો હતો. ઘોડાપૂરને કારણે ગામ વિખુટૂ પડીને બેટમા ફેરવાયું હતું. ગામના નીચાણવાળા વિસ્તારમાં સાંગાવાડી નદીના પાણી ઘસી આવ્યા હતા.
આ પણ વાંચોઃઉતર ગુજરાતમાં અનરાધાર, કડીમાં 11 ઈંચ,બેચરાજીમાં 9 ઈંચ, સરસ્વતી-જોટાણામાં 7 ઈંચથી વધુ વરસાદ